Manipur Landslide: નોની ભુસ્ખલનમાં 18 જવાનો સહીત 81 લોકોના મોત, 55 હજુ ફસાયા
મણિપુરના નોની જિલ્લામાં ટેરિટોરિયલ આર્મીના તુપલ યાર્ડ રેલવે કન્સ્ટ્રક્શન કેમ્પમાં ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 81 થઈ ગયો છે. તે જ સમયે, 55 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધ ચાલુ છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ
મણિપુરના નોની જિલ્લામાં ટેરિટોરિયલ આર્મીના તુપલ યાર્ડ રેલવે કન્સ્ટ્રક્શન કેમ્પમાં ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 81 થઈ ગયો છે. તે જ સમયે, 55 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધ ચાલુ છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ જાણકારી આપી છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું, "નોની ભૂસ્ખલન રાજ્યના ઈતિહાસની સૌથી ખરાબ ઘટના છે. અમે 81 જીવ ગુમાવ્યા છે, જેમાંથી 18 સેનાના જવાન હતા. તે જ સમયે, લગભગ 55 લોકો ફસાયેલા છે. માટીના કારણે તમામ મૃતદેહોને કાઢવામાં 2-3 દિવસ લાગશે.
બચાવ કામગીરીમાં હજુ 2-3 દિવસ લાગશેઃ સીએમ એન બિરેન સિંહ
મણિપુરના સીએમ એન બિરેન સિંહે કહ્યું કે કેન્દ્રએ બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને સેનાના જવાનોને પણ મોકલ્યા છે. જમીનમાં ભેજને કારણે વાહનોની અવરજવરને અસર થઈ રહી છે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે.....બચાવ કામગીરીમાં હજુ 2-3 દિવસનો સમય લાગશે.
ભૂસ્ખલન બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે થયું હતું, જેનાથી પર્વતનો મોટો ભાગ નાશ પામ્યો હતો. હાઓચોંગ સબ-ડિવિઝનલ ઓફિસર સોલોમન એલ. ફિમેટે જણાવ્યું હતું કે, "શિલ્ચર અને કોહિમાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની વધારાની ટીમો પણ હાલના સર્ચ ઓપરેશન જૂથોમાં જોડાઈ રહી છે. મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે શુક્રવારે બીજી વખત ભૂસ્ખલન સ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે સાંજે કહ્યું કે તેમના રાજ્યના નવ સૈનિકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, "મણીપુરમાં ભૂસ્ખલનથી દાર્જિલિંગ હિલ્સ (107 ટેરિટોરિયલ આર્મી યુનિટ)ના નવ જવાન ઘાયલ થયા છે તે જાણીને આઘાત લાગ્યો છે. હું તેમના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરું છું અને પરિવારના સભ્યો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું.
20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
ભારતીય સેનાના એક સત્તાવાર નિવેદન અનુસાર, શુક્રવારે મણિપુરના તુપુલમાં ભૂસ્ખલન સ્થળ પરથી સર્ચ ઓપરેશન દરમિયાન આઠ સૈન્ય કર્મચારીઓ અને ચાર નાગરિકો સહિત 12 વધુ મૃતદેહો મળી આવ્યા હતા. મણિપુર ભૂસ્ખલન સ્થળ પરથી અત્યાર સુધીમાં કુલ 15 ટેરિટોરિયલ આર્મીના જવાનો અને પાંચ નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. મણિપુરમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે.
ભૂસ્ખલન કેવી રીતે અને ક્યાં થયું?
જિરીબામથી ઇમ્ફાલ સુધીના નિર્માણાધીન રેલ્વે લાઇનને સુરક્ષિત રાખવા માટે તુપુલ રેલ્વે સ્ટેશન નજીક તૈનાત ભારતીય સેનાની 107 ટેરિટોરિયલ આર્મીની કંપની સાઇટ નજીક બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે ભૂસ્ખલન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સતત વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે જીરીબામ-ઈમ્ફાલ નવી લાઇન પ્રોજેક્ટના તુપુલ સ્ટેશનની ઇમારતને નુકસાન થયું છે.
Noney landslide | Worst incident in the history of state...We have lost 81 people's lives of which 18 including territorial army (personnel) rescued; around 55 trapped. It will take 2-3 days to recover all the dead bodies due to the soil: Manipur CM N Biren Singh (1.07) pic.twitter.com/ktyEUI2nD3
— ANI (@ANI) July 1, 2022