Manipur Violence: મણિપુરમાં હિંસાના ષડયંત્રનો પર્દાફાશ, સેનાએ શેર કર્યો બે જૂથો વચ્ચેની વાતચીતનો હિસ્સો

Manipur Violence: મણિપુરમાં જે રીતે ફરી એકવાર હિંસા શરુ થઈ તેનાથી સેનાને શંકા છે કે હિંસા ભડકાવવા માટે લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કથિત રીતે લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને હિંસા ભડકાવવામાં આવી રહી છે. સેનાને આ અંગે બંને જૂથો વચ્ચેની વાતચીતના કેટલાક અંશો મળ્યા છે.

સેના તરફથી કહેવામાં આવ્યું છે કે તમે અમારી નજરમાં છો, સેના શાંતિ સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે, તમારી કપટી યોજનાઓ છતાં, તે મૈત્રીપૂર્ણ લોકો સાથે આવવા માટે પણ તૈયાર છે. બંને જૂથો વચ્ચેની વાતચીતના અંશોનો ઉલ્લેખ કરીને સેનાએ ટ્વિટ કર્યુ છે.

Manipur Violence

સેના વતી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે અમારી પાસે પાર્ટી A અને પાર્ટી B વચ્ચેની વાતચીતના અંશો છે. સૈન્યએ જણાવ્યું હતું કે દિવસ પહેલા આ વિનાશક ઘટનાની યોજના હતી. બંને જૂથો વચ્ચેની વાતચીત દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે અમે ફ્રન્ટ લાઇન પર રહીશું, જ્યારે સમગ્ર જનતા બીજી લાઇન પર રહેશે. ત્યારપછી તેઓ આખા ગામનો નાશ કરશે.

આ વાતચીત દરમિયાન, જ્યારે પાર્ટી B ગામનું સ્થાન, લક્ષ્ય વિસ્તારો વિશે પૂછે છે, ત્યારે પાર્ટી A તેની માહિતી શેર કરે છે, જો કે સેનાએ આ ભાગને અસ્પષ્ટ કરી દીધો છે. પાર્ટી A પછી પાર્ટી Bને યોજનાને સફળ બનાવવા માટે વાહનની વ્યવસ્થા કરવા કહે છે.

સેના દ્વારા શેર કરાયેલ ટ્રાન્સક્રિપ્ટમાં, પાર્ટી B પછીથી સમગ્ર યોજના પર અપડેટ માંગે છે અને કહે છે કે હું 15 લોકોને લાવીશ જેમની પાસે હથિયાર હશે. વાતચીતના છેલ્લા ભાગમાં, પાર્ટી A પાર્ટી Bને કહે છે કે ચિંતા ના કરો, કેડરની સંખ્યા હથિયારોની સંખ્યા કરતા વધુ છે.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં રવિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 5 લોકોના મોત થયાના સમાચાર છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, જેમાં 79 લોકોના મોત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X