Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Manish Sisodia Bail : મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી સામે લડનારા આમ આદમી પાર્ટીના મજબુત નેતા મનીષ સિસોદિયા આખરે જેલમાંથી બહાર આવશે.

દિલ્હી લીકર પોલીસી કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. આ જામીન બાદ આમ આદમી પાર્ટી સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે.

Manish Sisodia Bail

મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીનું સત્તાવાર નિવેદન પણ આવ્યું છે. આમ આદમી પાર્ટીએ આ નિવેદનમાં કહ્યું કે, મનીષ સિસોદિયા 17 મહિના સુધી તિહાર જેલની કોટડીમાં રહ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિના પિતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે. સમગ્ર દેશ મનીષ સિસોદિયાને શિક્ષણ ક્રાંતિકારી તરીકે ઓળખે છે.

AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, તેમણે એક વાતનો સંદેશ આપ્યો છે કે સરમુખત્યારશાહીની પણ મર્યાદા હોય છે. 17 મહિના પહેલા મનીષ સિસોદિયાએ દિલ્હીના બાળકોના સપનાઓ બનાવ્યા.

તેમણે કહ્યું કે, સરકારી શાળાઓના પરિણામો ખાનગી શાળા કરતા સારા લાવ્યા છતાં તેમને નકલી કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા. ભાજપનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાનો છે.

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે સમગ્ર દેશની ન્યાય પ્રણાલી માટે એક દાખલો બેસાડ્યો છે. આજે ચુકાદો આપતી વખતે કોર્ટે જે ટિપ્પણી કરી છે તે તમામ કોર્ટ માટે બોધપાઠ સાબિત થશે. એજન્સીઓએ આ કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ કરી નથી. વિરોધીઓને જેલમાં ધકેલી દેવા અને ટ્રાયલ લંબાવવાનું કેન્દ્ર સરકારનું આ સમગ્ર કાવતરું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X