Bharat Ratna : 'મનીષ સિસોદિયા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી, તેમને ભારત રત્ન આપો' - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ ગુજરાતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર ભાર મૂક્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાનો પણ બચાવ કર્યો હતો.
Bharat Ratna : અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ ગુજરાતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે શિક્ષણ અને આરોગ્યના મુદ્દા પર ભાર મૂક્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાનો પણ બચાવ કર્યો હતો. તેમણે સિસોદિયાને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી ગણાવ્યા હતા.
આ માટે તેમણે અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના એક લેખને ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, જે અખબાર પર વિશ્વના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ પોતાના સમાચાર છપાવવાની ઈચ્છા રાખે છે, તેમાં હવે સિસોદિયાજીનો ફોટો છપાયો છે.

કેજરીવાલે ચૂંટણી વચનો આપ્યા
કેજરીવાલે આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું દુનિયાના શ્રેષ્ઠ મુખ્યમંત્રીને મારી સાથે લઈને આવ્યો છું. કેજરીવાલે ગુજરાતના બાળકનેસારું શિક્ષણ આપવાનું વચન આપ્યું છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1 લાખ કરોડ બાળકો શાળાએ જાય છે, જેમની સાથેછેતરપિંડી થઈ રહી છે અને જો આ વખતે ભાજપને ફરી તક આપવામાં આવશે, તો આગામી 5 વર્ષ બગડી જશે.
તેમણે લોકોને કહ્યું કે, જોતેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં અહીં AAPની સરકાર બનાવશે, તો તેઓ ગુજરાતના શહીદોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપશે.

'કદાચ મારી પણ ધરપકડ કરી શકે છે'
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી સિસોદિયા દિલ્હીમાં દારૂ કૌભાંડના કેસમાં ઘેરાયેલા છે. તેઓ હાલ કેજરીવાલ સાથે ગુજરાત પ્રવાસે છે.
આ દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ મનીષ સિસોદિયાની ધરપકડ કરશે, કદાચ મારી પણ ધરપકડ કરે.
|
સિસોદિયાને આપો 'ભારત રત્ન'
મનિષ સિસોદિયાના બચાવમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, મનીષ સિસોદિયાને ભારત રત્ન મળવો જોઈએ. આ સાથે જ કેજરીવાલે એમ પણકહ્યું કે, સિસોદિયા દેશના શિક્ષણ મંત્રી હોવા જોઈએ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાનો પણ બચાવ કર્યો હતો. તેમણે સિસોદિયાને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી ગણાવ્યા હતા.












Click it and Unblock the Notifications
