મનમોહન અને ગુજરાલ પણ પાકિસ્તાનથી આવ્યા હતા: ભાજપ

ભાજપના વરિષ્ઠ પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે શકીલ અહમદનું નિવેદન સ્તરહીન છે. શકીલ કોંગ્રેસના પ્રવક્તા પણ છે તેથી અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે તે કોંગ્રેસનું અધિકૃત નિવેદન છે.
રવિશંકર પ્રસાદે કહ્યં કે શકીલ અહમદે આખરે કહેવા શું ઇચ્છે છે? તે વર્તમાન પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇંદ્રકુમાર ગુજરાલ પણ પાકિસ્તાનથી આવ્યા હતા. તેવામાં અડવાણીને નિશાન બનાવવાનું અર્થ શું છે?
કોંગ્રેસી નેતા શકીલ અહેમદે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પર એક વિવાદિત નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, અડવાણી સત્તા માટે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા છે. આ નિવેદન તેમણે એ સમયે કર્યું જ્યારે તેઓ સીકરમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે જો તેઓ હિન્દુઓને હિન્દુઓની ચિંતા હોત તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સેવા કરતા.












Click it and Unblock the Notifications
