Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મનમોહન સિંહે રાજ્યસભા માટે નામાંકનપત્ર ભર્યું

manmohan-singh
ગુવાહાટી, 15 મે : ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે રાજ્યસભમાં પાંચમા કાર્યકાળ માટે આસામથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. મનમોહન સિંહે અસમથી રાજ્યસભાની બેઠક માટે 30 મેના રોજ યોજાનારી ચૂંટણી માટે આ નામાંકન પત્ર ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહનો રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ આવનારા થોડા જ દિવસોમાં સમાપ્ત થવાનો છે. તેઓ આસામથી રાજ્યસભા બેઠક માટે આજે પાંચમી વાર નામાંકન પત્ર ફાઇલ કરી રહ્યા છે. ડૉ. સિંહે વર્ષ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારથી તેઓ આ રાજ્યથી જ રાજ્યસભાનું નામાંકન પત્ર ભરતા આવ્યા છે.

રાજ્યસભાની વેબસાઇટ પર મનમોહન સિંહનું એડ્રેસ મકાન નંબર 3989, નંદન નગર, વોર્ડ નંબર 51, સરુમતારિયા દિસપુર દર્શાવવામાં આવ્યું છે. મનમોહન સિંહ પૂર્વ મુખ્યમંત્રી હિતેશ્વર સેકીયાની પત્ની હેમોબ્રાવા સૈકિયાના ભાડુઆત છે. રાજ્યસભા માટે એક એન્ય બેઠક પણ ખાલી થવાની છે. આ બેઠક અસમ ગણ પરિષદના કુમાર દીપક દાસ લડવાના છે. તેઓ પણ રાજ્યસભાના સભ્ય છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા 3 જૂન સુધીમાં પુરી કરી લેવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X