Manmohan Singh Passed Away : પુર્વ પીએમ મનમોહન સિંહનું 92 વર્ષે નિધન

Manmohan Singh Passed Away : ભારતના પુર્વ વડાપ્રધાન અને દેશને આર્થિક સંકટમાંથી ઉગારનારા જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયુ છે.

લાંબા સમયથી બિમાર રહેલા મનમોહન સિંહ દિલ્હી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા. આજે તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. હવે તેમના અવસાનના સમાચાર આવ્યા છે.

Manmohan Singh

મનમોહન સિંહને ગુરુવારે સાંજે લગભગ 8 વાગે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક કર્યું. ત્યાર બાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું.

1957માં તેમણે અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી. આ પછી, 1962 માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. ડૉ. મનમોહન સિંહ અને તેમના પત્ની શ્રીમતી ગુરશરણ કૌરને ત્રણ દીકરીઓ છે. ડૉ. મનમોહન સિંહ તેમની નમ્રતા, મહેનત અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.

મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. 1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓએ સેક્રેટરી, નાણા મંત્રાલય, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ, વડા પ્રધાનના સલાહકાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું.

મનમોહન સિંહ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. આ સમય દેશના આર્થિક માળખા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X