Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પંજાબમાં 500 નવા મહોલ્લા ક્લિનિક ખોલીને માન સરકાર, સંખ્યા 600 થશે

પંજાબની માન સરકાર આગમી બે મહિનામાં લોકોના સારી આરોગ્ય સુવિધા આપવાના હેતુથી 500 વધુ મહોલ્લા ક્લિનિક અને આમ આદમી ક્લિનિક ખોલશે. આ માટે ગ્રામિણ અને શહેરી પ્રાઇમરી હેલ્થ સેન્ટરને આમ આદમી ક્લિનિકમાં અપગ્રેડ કરવામાં આવશે.

પંજાબની માન સરકાર આગમી બે મહિનામાં લોકોના સારી આરોગ્ય સુવિધા આપવાના હેતુથી 500 વધુ મહોલ્લા ક્લિનિક અને આમ આદમી ક્લિનિક ખોલશે. આ માટે ગ્રામિણ અને શહેરી પ્રાઇમરી હેલ્થ સેન્ટરને આમ આદમી ક્લિનિકમાં અપગ્રેડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 100 મહોલ્લા ક્લિનિક પહેલાથી જ કાર્યરત છે, હવે તે સંખ્યા 500 થશે.

mann Government

મોટાભાગના ક્લિનિક્સમાં, મુખ્ય શક્તિ આરોગ્ય વિભાગના આંતરિક સંચાલન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. આ માટે લગભગ 85 નવા ડૉક્ટર્સની પણ ભરતી કરવામાં આવશે. AAP પંજાબે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

mann Government

પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગ દ્વારા 521 PHC ની યાદી તૈયાર કરવામાં આવી છે, જેને આમ આદમી ક્લિનિક્સમાં અપગ્રેડ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ ક્લિનિક્સ 26 જાન્યુઆરી, 2023ના રોજ શરૂ થશે. આ યોજના મુજબ આ ક્લિનિક્સ રાજ્યના ગામડાઓ અને શહેરોમાં સ્થિત પીએચસીની પહેલાથી અસ્તિત્વમાં રહેલી બિલ્ડિંગમાં ખોલવામાં આવશે. આ સાથે આ ઈમારતોને નવા સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડ કરવામાં આવશે.

ક્યાં કેટલા ક્લિનિક્સ ખોલવામાં આવશે

ક્યાં કેટલા ક્લિનિક્સ ખોલવામાં આવશે

આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ અમૃતસર જિલ્લામાં સૌથી વધુ 44 ક્લિનિક્સ ખોલવાના છે. આ પછી લુધિયાણામાં 47, પટિયાલામાં 40, જલંધરમાં 37, હોશિયારપુર અને ગુરદાસપુરમાં 33-33, ભટિંડામાં 24, સંગરુરમાં 26, ફાઝિલકામાં 22, ફિરોઝપુર, SAS નગર અને મુક્તસરમાં 19-19 ક્લિનિક્સ ખોલવામાં આવશે.

કેન્દ્ર સરકારે કરી હતી પ્રશંસા

કેન્દ્ર સરકારે કરી હતી પ્રશંસા

કેન્દ્ર સરકારે એમબીબીએસ ડૉકટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સંચાલિત આમ આદમી ક્લિનિક્સની પ્રશંસા કરી હતી. આમ આદમીક્લિનિકમાં વિવિધ લેબ ટેસ્ટ અને મફત દવાઓની ઉપલબ્ધતા દર્દીઓને રાહત આપવા સહિત ઓપીડીમાં ફાળો આપે છે.

7 હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો

7 હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ, 2022ના રોજ ખોલવામાં આવેલા આમ આદમી ક્લિનિક્સ સંબંધિત સરકારી આંકડાઓ અનુસાર, 100 જેમાં 65 શહેરમાં અને 35 ગ્રામીણ વિસ્તારમાં આવેલા આમ આદમી ક્લિનિક્સમાં દરરોજ 7 હજારથી વધુ દર્દીઓ આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. હાલમાં આ ક્લિનિક્સ 100 પ્રકારની દવાઓ અને 41 બેઝિક લેબ ટેસ્ટની સુવિધા પૂરી પાડે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X