જ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...
ગંદકી જોઇને મનમાં ગુસ્સો જાગવો જોઇએ. આવા મુદ્દા પ્રત્યે મનમાં રોષ ન હોય તો 'સ્વચ્છ ભારત'નું નિર્માણ શક્ય નથી.
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મનની વાત કાર્યક્રમની 30મી આવૃત્તિમાં સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો હતો. સ્વચ્છતા અભિયાન માટે લોકોને જાગૃત કરવા પીએમ મોદીએ કહ્યું હતું કે, ગંદકી જોઇને મનમાં ગુસ્સો જાગવો જોઇએ. આવા મુદ્દા પ્રત્યે મનમાં રોષ ન હોય તો 'સ્વચ્છ ભારત'નું નિર્માણ શક્ય નથી.

આ સાથે જ તેમણે દેહરાદુનની એક 16 વર્ષની યુવતીની વાત કરી હતી, જેણે પીએમને સ્વચ્છતા અંગે અપીલ કરી હતી. પીએમ મોદી તેની અપીલથી એટલા પ્રભાવિત થયા હતા કે, તેમણે મનની વાત કાર્યક્રમમાં તેની ઓડિયો ક્લિપ લોકોને સંભળાવી હતી.
વધતી ગંદકી માટે સરકાર અને જનતા બંન્ને જવાબદાર
આ 16 વર્ષીય યુવતીનું નામ છે ગાયત્રી સિંહ, તે દેહરાદુનના અજબપુર કાલા વિસ્તારમાં રહે છે. પીએમ મોદીના જણાવ્યા મુજબ તેણીએ પોતાના ફોન મેસેજમાં જણાવ્યું હતું કે, રિસ્પાના નદી જાણે કચરો ફેંકવાની જગ્યા બની ગઇ છે. ગાયત્રીએ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેણીએ જણાવ્યુ હતું કે, 'દેશમાં વધતી ગંદકી માટે સરકાર અને જનતા બંન્ને જવાબદાર છે અને લોકોએ આ અંગે પોતાની જવાબદારી સમજવી જોઇએ. કચરાના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો નદીમાં કચરો ફેંકે છે.'
ગંદકી પ્રત્યે લોકોના મનમાં રોષ હોવો જોઇએ
સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા માટે પીએમ મોદીએ ગાયત્રીની ઓડિયો ક્લિપનો ઉપયોગ કર્યો હતો. આ ક્લિપ લોકોને સંભળાવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, 'દેશમાં સ્વચ્છતા જરૂરી છે, આ માટે જ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગાયત્રીના સંદેશમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઇએ. દેશમાં ફેલાતી ગંદકી પ્રત્યે ગાયત્રીના મનમાં રોષ છે અને દરેક નાગરિકના મનમાં આવા મુદ્દાને લઇ રોષ હોવો જ જોઇએ. એ રીતે જ આપણે સ્વચ્છ ભારતની દિશામાં આગળ વધી શકીશું.'
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
