મોદીએ વર્ષના છેલ્લા 'મન કી બાત' માં લોકોને કોરોનાથી સાવચેત રહેવા કરી અપિલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ષના છેલ્લા મન કી બાદ કરી હતી જેમા મોટા ભાગને આવરી લેવામા આવ્યા હતા. તેમા પણ ખાસ કરીને ચીનમાં જે રીતે કોરોના વાયરસ વધી રહ્યો છે તેને જોતા ભારતમાં પણ કોરોનાને સાવચેત રહેવા અપિલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરી હતી. આ સાથે જ આ વર્ષનું પણ છેલ્લો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓએ સાંબળ્યો હતો. મોદીએ દેશના લોકોને કોરોના મહામારીને લઇને સાવચેત રહેવા માટે જણાવ્યુ હતુ. દુનિયામાં ફરી એક વાર કોરોનાથી હડકંપ મચ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ નાજુક બની ગઇ છે. ત્યારે ભારતે પણ આ બાબતને ગંભીરતાથી લઇને સાવચેતીના પગલા લેવાનુ શરૂ કરી દિધુ છે.

પીએમ મોદીએ લોકોને જણાવ્યુ હતુ કે, લોકો વેકેશન મૂડમાં છે બહાર ફરી રહ્યા છે. લોકોના હરવા ફરવા સામે કોઇ વાંધો નથી. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોએ કોરોનાથી સતર્ક રેહવાની જરૂર છે. લોકોને ખાસ કરીને માસ્ક પહેરવા અે સેનેટાઇઝ કરતા રહેવુ જોઇએ. પોલીયો, પોક્સ અને ગીની વાયરસને ભારતમાથી સમાપ્ત કરી નાખ્યો છે. પોદીએ સરકારની આગામી વિઝન અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે કે, વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવાનો સરકારનો ટર્ગેટ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે હજરો લોકો ટી.બી. ના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
