યુપી સરકારે કરી IASની બદલી, સેલ્વા કુમારી બન્યા મેરઠના કમિશ્નર, જુઓ પુરી યાદી
એક દિવસ પહેલા જ પંજાબની આપ સરકારે IPS અને PPS અધિકારીઓની બદલી કરી હતી. હવે ઉત્તર પ્રદેશમાં પણ આ સિલસિલો ચાલુ થયો છે. યોગી આદીત્યનાથની સરકરે ઘણા IAS અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓમાં મેરઠ, બરેલીના ડિવિઝનલ કમિશનરોને પણ બદ
એક દિવસ પહેલા જ પંજાબની આપ સરકારે IPS અને PPS અધિકારીઓની બદલી કરી હતી. હવે ઉત્તર પ્રદેશમાં પણ આ સિલસિલો ચાલુ થયો છે. યોગી આદીત્યનાથની સરકરે ઘણા IAS અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓમાં મેરઠ, બરેલીના ડિવિઝનલ કમિશનરોને પણ બદલવામાં આવ્યા છે. યુપી સરકાર દ્વારા જારી કરાયેલ ટ્રાન્સફર લિસ્ટ અનુસાર, IAS સેલ્વા કુમારીને બરેલીથી બદલી કરાઇ મેરઠના ડિવિઝનલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સારિકા મોહનને બરેલીના ડિવિઝનલ કમિશનર બનાવવામાં આવ્યા છે. નોઈડા અને MD નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશનના CEO રિતુ મહેશ્વરીને ગ્રેટર નોઈડાના CEOની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પોષણ સચિવ અનામિકા સિંઘને ICDS નિયામકનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મુરાદાબાદ CDO આનંદ વર્ધનને ગ્રેટર નોઈડાના ACEO પદ પર મોકલવામાં આવ્યા છે.
રાયબરેલીના CDO પ્રભાસ કુમારની નોઈડાના ACEO પદ પર બદલી કરવામાં આવી છે. ચિત્રકૂટના જોઈન્ટ મેજિસ્ટ્રેટ પૂજા યાદવને રાયબરેલીના CDO બનાવવામાં આવ્યા છે.