For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્માષ્ટમી પર મથુરાના બાંકે બિહારી મંદિરમાં દૂર્ઘટના, ભીડમાં દબાઈને 2ના મોત

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર મથુરાના વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એક દૂર્ઘટના સર્જાઈ છે જેમાં ભીડમાં ફસાઈને બે લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર મથુરાના વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં એક દૂર્ઘટના સર્જાઈ છે જેમાં ભીડમાં ફસાઈને બે લોકોના મોત થયા છે. મથુરાના એસએસપીએ જણાવ્યુ છે કે 'મથુરાના બાંકે બિહારીમાં મંગળા આરતી દરમિયાન મંદિરના એક્ઝિટ ગેટ પર એક ભક્ત બેભાન થઈ ગયો હતો જેના કારણે ભક્તોની અવરજવર અટકી ગઈ હતી. ભારે ભીડ હોવાથી પરિસરની અંદર ગૂંગળામણને કારણે ઘણા લોકોના શ્વાસ રૂંધાયા હતા જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે.'

mathura

ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મથુરાના બાંકે બિહારી મંદિર પરિસરમાં અચાનક ભક્તોની ભીડ જોવા મળી હતી. ભારે ભીડને કારણે ગૂંગળામણ જેવુ વાતાવરણ હતુ. ન્યૂઝ ચેનલ આજ તકના જણાવ્યા મુજબ બાંકે બિહારી મંદિરમાં ભીડ એટલી હતી કે મંગળા આરતી દરમિયાન 50થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. આજ તકે એસએસપી અભિષેક યાદવને ટાંકીને કહ્યુ કે ભીડ વધી જવાને કારણે આ દૂર્ઘટના સર્જાઈ છે. મૃતકોની ઓળખ નોઈડાની રહેવાસી નિર્મલા દેવી અને જબલપુર મૂળના વૃંદાવનના રહેવાસી રાજકુમાર તરીકે થઈ છે.

વળી, મંદિરના સેવકોનો દાવો છે કે અધિકારીઓએ VIPના નામ પર તેમની રૂઆબ બતાવ્યો અને ઘણા લોકોને અંદર આવવા દેવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે મથુરા રિફાઇનરીના એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેમના પરિવારના 7 સભ્યો સાથે મંગળા આરતીમાં હાજર હતા. સેવાદારે એવો પણ દાવો કર્યો છે કે અધિકારીઓના સંબંધીઓ ટેરેસ પર બનેલી બાલ્કનીમાંથી બાંકે બિહારીના દર્શન કરી રહ્યા હતા. પરંતુ અરાજકતા દરમિયાન અધિકારીઓએ તેના પરિવારની સલામતી માટે ઉપરના માળના દરવાજા બંધ કરી દીધા હતા. જેના કારણે લોકોને બચાવવાનુ ખૂબ મુશ્કેલ બન્યુ હતુ.

English summary
Mathura vrindavan Banke Bihari accident People died during shree krishna janmashtami Mangla Arti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X