મહારાષ્ટ્રમાં મૌલવીને કોરોના વાયરસ પોઝિટિવ, સંપર્કમાં આવ્યા 53 લોકો આઈસોલેશનમાં
મહારાષ્ટ્રમાં મૌલવીને કોરોના વાયરસ પોઝિટિવ, સંપર્કમાં આવ્યા 53 લોકો આઈસોલેશનમાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે. હવે ફિલીપીનના કેટલાક નાગરિકોના સંપર્કમાં આવેલ એક મૌલવીનો પણ કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જે બાદ મૌલવીના સંપર્કમાં આવેલા 53 લોકોને હોમ ક્વારંટાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.

પત્ની અને દીકરાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા
નવી મુંબઈ નગરપાલિકાનું કહેવું છે કે મૌલવીની પત્ની અને દીકરીના તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 3 માર્ચથી 12 માર્ચ દરમિયાન કોઈ આધ્યાત્મિક કામથી નવી મુંબઈના વાશીમાં આવેલ મસ્જિદમાં ફિલીપીનના સાત નાગરિકો આવ્યા હતા, જેમાંથી ત્રણ બાદમા કોરોનાવાઈરસથી પોઝિટિવ જણાયા હતા. ત્રણમાંથી એક બાદમાં ઠીક થઈ ગયો હતો, પરંતુ રવિવારે રાતે મુંબઈના કસ્તૂરબા હોસ્પિટલમાં કિડની ફેલ થઈ જવાથી તેનું મોત થઈ ગયું. અધિકારીઓનું કહેવું છે કે મૌલવી આ શખ્સના સંપર્કમાં પણ આવ્યો હતો.

1200 ઘરની સ્ક્રીનિંગ કરાઈ
જ્યારે મંગળવારે મૌલવીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેના સંપર્કમાં આવેલા 53 લોકોને હો ક્વારંટાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો. સાથે જ મસ્જિદ પાસે આવેલ ઓછામાં ઓછા 1200 ઘરની સ્ક્રીનિંગ કરવામાં આવી અને સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યો છે.નવી મુંબઈમાં અત્યાર સુધી પાંચ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. જેમાં મસ્જિદના મૌલવી, ફિલીપીનના ત્રણ નાગરિક અને એક સ્થાનિક શખ્સ સામેલ છે. સ્થાનિક શખ્સે તુર્કીની યાત્રા કરી હતી.

250 લોકોને હોમ ક્વારન્ટાઈનની સલાહ
અધિકારીએ જણાવ્યુ કે નવી મુંબઈમાં અત્યાર સુધી 250 લોકોને હોમ ક્વારન્ટાઈનની સલાહ આપવામાં આવી છે. જ્યારે વિદેશથી આવેલા 58 લોકોને એનએમએમસીની ક્વૉરેન્ટાઈનની ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે. બુધવારે 10 લોકોનો હોમ ક્વૉરેન્ટાઈનનો સમય ખતમ થયો છે. જેમાં કોરોનાવાઈરસનું સંક્રમણ નથી મળ્યું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
