યૂપીમાં ભાજપને લાગશે તગડો ઝાટકો, મોદી સરકાર બનાવવામાં માયાવતી કરશે મદદઃ રિપોર્ટ
યૂપીમાં ભાજપને લાગશે તગડો ઝાટકો, મોદી સરકાર બનાવવામાં માયાવતી કરશે મદદઃ રિપોર્ટ
નવી દિલ્હીઃ દેશમાં 6 તબક્કાના મતદાન પૂર્ણ થઈ ચૂક્યાં છે અને હવે માત્ર 60 સીટ પર જ વટિંગ થનાર છે. એવામાં એક રિપોર્ટ સામે આવ્યો છે. જેનાથી બિનભાજપી સરકાર બનાવવાની વિપક્ષના અભિયાનને ઝાટકો લાગી શકે છે. આ રિપોર્ટ મુજબ ભાજપ અથવા એનડીએને પણ સંપૂર્ણ બહુમત મળવાની સંભાવના નથી, પરંતુ તેની પાસે એટલી સીટ આવી શકે છે, જ્યાં માયાવતી જેવા નેતાઓની મદદથી તે ફરી એકવાર દિલ્હીની ગાદી છીનવી શકે છે.

190-210 સટ પર સમેટાઈ શકે ભાજપ
એંબિટ કેપિટલ્સના રિપોર્ટ્સ મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપને તગડો ઝાટકો લગી શકે છે, જેને પગલે ભાજપ માટે 190થી 210 સીટથી વધુ જીતવી મુશ્કેલ છે. રિપોર્ટ્સ મુજબ યૂપીમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળનું જે ગઠબંધન થયં છે તેનાથી ભાજપ અને એનડીએની ટોટલ ટેલી વધુ ઘટી શકે છે. એંબિટ કેપિટલ માટે રિતિકા માનકર મુખરજી અને સુમિત શેખરે જે રિપોર્ટ તૈયાર કરી છે, તેમાં નરેન્દ્ર મોદીની આગેવાની વાળા એનડીએને 220થી 240 સીટ મળવાની સંભાવના જતાવવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપની સીટ ઘટી શકે છે
એંબિટ કેપિટલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને જબરદસ્ત નુકસાન થઈ શકે છે. સંસ્થાએ યૂપીના ગોરખપુરના કેટલાક રાજનૈતિક, નાના કારોબારિઓ અને શિક્ષાવદો સાથે વાતચીતના આધાર પર દાવો કર્યો છે જ્યારે બહુજન સમાજ પાર્ટી અને સમાજપાર્ટી ગઠબંધન પાસે 40-50 ટકા વોટ શેર વધી શકે છે, જેના કારણે ભાજપ 30-35 સીટથી વધુ સીટ નહિ જીતી શકે.

ચૂંટણી બાદ એનડીએ સાથે હાથ મિલાવી શકે માયાવતી
એંબિટ કેપિટલે જમીની હાલાતોની તપાસ કર્યા બાદ જણાવ્યું કે પરિણામ બાદ એનડીએને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી ચાર મોટી ક્ષેત્રીય પાર્ટિઓ સાથે હાથ મિલાવવો પડી શકે છે, જેમાં માયાવતીની બીએસપી પણ સામેલ છે. આમ તો આ અલગ વાત છે કે અંતિમ પડાવ આવતાં આવતાં માયા અને મોદી વચ્ચે જુબાની જંગ ભારે વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં વોટશેરના મામલામાં બીએસપી, બીજેપી અને કોંગ્રેસ બાદ ત્રીજા નંબરની નેશનલ પાર્ટી હતી, પરંતુ તેને એકપણ વોટ નહોતો મળ્યો.

વધુ એક રિપોર્ટમાં એનડીએ સરકારની સંભાવના
અગાઉ ક્રેડિટ લિયોન્નાઈસ સિક્યોરિટીઝ એશિયાના રિપોર્ટમાં પણ લોકસભા ચૂંટણી 2019 બાદ નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકાર બનાવી શકે છે. આ એનાલિસિસમાં એનડીએના સાંસદોની સંખ્યા ઘટી શકે છે. રિપોર્ટમાં મોદીની આગેવાની વાળા ગઠબંધને બહુમતના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે પાકિસ્તાન વિરુદ્ધ મોદી સરકારના આક્રમક વલણને મુખ્ય કારણ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણી ખતમ થતાની સાથે જ 543 સીટવાળી લકસભાની 89 સીટ પર ચૂંટણઈ પૂરી થઈ ચૂકી છે અને હવે માત્ર 59 સીટ પર 19મી મેના રોજ મતદાન થનાર છે અને 23મી મેના રજ પરિણામ ઘોષિત કરવામાં આવશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
