For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ પર માયાવતીનો વાર, ‘લઘુત્તમ આવકની ગેરેન્ટી છળકપટ છે'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દરેક ગરીબને લઘુત્તમ આવકની ગેરેન્ટીના નિવેદન પર નિવેદનબાજીનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દરેક ગરીબને લઘુત્તમ આવકની ગેરેન્ટીના નિવેદન પર નિવેદનબાજીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ છે કે રાહુલ ગાંધીના નિવદેનથી આખો દેશ ચક્તિ અને આશંકિત છે. રાહુલે લોકસભા ચૂંટણી પહેલા આ રીતનું નિવેદન લોકોને લલચાવવા માટે આપવામાં આવ્યુ છે.

mayawati

એક જ થાળીના ચટ્ટા-બટ્ટા છે ભાજપ-કોંગ્રેસ

માયાવતીએ કહ્યુ કે આ પહેલા કોંગ્રેસની સરકારોમાં ખાસ કરીને ગરીબી હટાવોનું સૂત્ર આપવામાં આવતુ રહ્યુ છે. વળી, ભાજપ સરકારે પણ બરાબર આવુ જ વચન આપ્યુ હતુ. ભાજપ સરકારે વિદેશથી કાળુ નાણુ પાછુ લાવવા અને ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા આપીને સારા દિવસો લાવવાનું વચન આપ્યુ હતુ કે જે જનતા માટે કોઈ છળકપટથી અને વચનભંગથી કમ નહોતુ. કોંગ્રેસ અને ભાજપ બંને આ મામલે એક થાળીના ચટ્ટા-પટ્ટા છે.

રાહુલ ગાંધીએ આપ્યુ હતુ નિવેદન

તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે જો તેમની પાર્ટીની સરકાર બની તો દેશના બધા ગરીબોને લઘુત્તમ આવકની ગેરેન્ટી આપવામાં આવશે. દરેક ગરીબ વ્યક્તિને દર મહિને 1500થી 1800 રૂપિયા સીધા બેંક ખાતામાં આપવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષમાં 182 સિંહ કમોતે મર્યા, સરકારે લીધા આ પગલાંઆ પણ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષમાં 182 સિંહ કમોતે મર્યા, સરકારે લીધા આ પગલાં

English summary
mayawati attacks on rahul gandhi over announcement of minimum income guarantee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X