માયાવતી રોજ ફેસિયલ કરાવે છે: ભાજપા વિધાયક
બલિયા જિલ્લાના બેરિયાથી ભાજપા વિધાયક સુરેન્દ્ર નાથ સિંહ ઘ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.
બલિયા જિલ્લાના બેરિયાથી ભાજપા વિધાયક સુરેન્દ્ર નાથ સિંહ ઘ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. તેમને માયાવતી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે અને કહ્યું છે કે તે રોજ ફેસિયલ કરાવે છે સફેદ વાળ રંગીને જવાન હોવાનો દેખાડો કરે છે. ન્યુઝ એજેન્સી એએનઆઈ ઘ્વારા જયારે સવાલ પૂછવામાં આવ્યો કે માયાવતી કહે છે કે મોદી એક શોખીન પ્રધાનમંત્રી છે. તેનો જવાબ આપતા સુરેન્દ્ર નાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે માયાવતી શોખ વાળી છે. 60 વર્ષની ઉંમરમાં વાળ રંગીને દેખાડો કરે છે.
આપને જણાવી દઈએ કે સુરેન્દ્ર નાથ આ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. તેમને કહ્યું હતું કે રેપની વધતી ઘટનાઓ ભગવાન રામ પણ રોકી નહીં શકે. ઉત્તરપ્રદેશમાં રેપની વધતી ઘટનાઓ અંગે પૂછવામાં આવેલા સવાલ પર તેમને કહ્યું હતું કે, હું પુરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભગવાન રામ પણ આ પ્રકારની ઘટનાઓ નહીં રોકી શકે. આ એક પ્રાકૃતિક પ્રદુષણ છે, જેનાથી કોઈ અલગ નથી. તેમને કહ્યું કે આ લોકોની જવાબદારી છે કે તેઓ અન્ય લોકોને પોતાના પરિવારની બહેનો સમજે. આપણે તેને ફક્ત મૂલ્યોના માધ્યમ ઘ્વારા નિયંત્રિત કરી શકીયે છે, સંવિધાન ઘ્વારા નહીં.
આ પણ વાંચો: ગંગા યાત્રામાં પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ - ગરીબ નહિ અમીર રાખે છે ચોકીદાર
#WATCH BJP MLA Surendra Narayan Singh: Mayawati ji khud roz facial karwati hain, vo kya humare neta ko kya shaukeen kahengi. Baal paka hua hai aur rangeen karwake ke aaj bhi apne aap ko Mayawati ji jawan saabit karti hain, 60 varsh umar ho gayi lekin sab baal kaale hain pic.twitter.com/SGRK4gZpEI
— ANI UP (@ANINewsUP) March 19, 2019