બાબરી મસ્જિદ હંમેશા રહેશે, ફરીથી બનાવવા માટે તોડવામાં આવી શકે છે મંદિરઃ ઈમામ
ઑલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા મૂકવા અંગે કહ્યુ છે કે મસ્જિદ જ્યાં બની ગઈ ત્યાંથી હટી શકે નહિ.
ઑલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા મૂકવા અંગે કહ્યુ છે કે મસ્જિદ જ્યાં બની ગઈ ત્યાંથી હટી શકે નહિ. ત્યાં મસ્જિદ જ રહેશે, એ પણ બની છે કે ક્યારેક તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવે. એએનઆઈને આપેલા નિવેદનમાં રશીદીએ કહ્યુ, ઈસ્લામ ધર્મ કહે છે કે જે મસ્જિદ છે તે હંમેશા મસ્જિદ જ રહે છે. તેને ના બદલી શકાય અને ના કંઈ બીજુ બનાવવા માટે તોડી શકાય છે. અમારુ માનવુ છે કે આ એક મસ્જિદ (બાબરી મસ્જિદ) હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે. આ મસ્જિદને મંદિર તોડીને નહોતી બનાવાઈ પરંતુ બની શકે છે કે મસ્જિદ બનાવવા માટે મંદિરને ધ્વસ્ત કરવામાં આવે.

બાબરી મસ્જિદ-મંદિર વિવાદ પર નિવેદન
આયોધ્યામાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશિલા મૂકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ જગ્યાએ મુઘલકાળમાં બનેલી બાબરી મસ્જિદ હતી. વિવાદ વચ્ચે જ 1992માં મસ્જિદને પાડી દેવામાં આવી હતી. ગયા વર્ષ આ કેસને ખતમ કરીને સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં વિવાદિત ભૂમિ રામલલાને સોંપવાનો આદેશ આપ્યો હતો અને અહીં મંદિર બની રહ્યુ છે. આ બધા વચ્ચે ઑલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ આ નિવેદન આપ્યુ છે.

ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી
રામ મંદિરનો પાયો રાખ્યા બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. બુધવારે એક ટ્વિટમાં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ લખ્યુ - બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે. ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડે વિવાદિત ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવીને કહ્યુ કે અન્યાયપૂર્ણ, દમનકારી અને બહુસંખ્યક તુષ્ટીકરણના આધારે ભૂમિનુ પુનઃનિર્ધારણ કરનાર ચુકાદાથી આ સત્ય બદલી નહિ શકાય.

પીએમ મોદીએ મૂકી આધારશિલા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવાર(5 ઓગસ્ટ)ના રોજ પૂજા અર્ચના કર્યા બાદ રામ મંદિરની આધારશિલા મૂકી છે. રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન પૂરુ થવા અને પીએમના આધારશિલા રાખ્યા બાદ વિધિવત રીતે રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે. મંદિરના શિલાન્યાસ બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે વર્ષોથી જે સપનુ હતુ તે પૂરુ થવા જઈ રહ્યુ છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
