કુંભ કરુણાંતિકા માટે હું નહીં પણ મીડિયા જવાબદાર: આઝમ ખાન

જોકે આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી આઝમખાને કુંભમેળાના પ્રભારી મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. જોકે બાદમાં તેમણે બધો દોષ મીડિયા પર થોપી દીધો છે. અને તેમણે જણાવ્યું છે કે જો આ ઘટનામાં તેમની અને તેમના વિભાગની કોઇ જવાબદારી સામે આવશે તો તેઓ તેમના મંત્રીપદેથી પણ રાજીમાનુ આપી દેશે.
આઝમખાને એક કાર્યક્રમમાં જણાવ્યું કે આ ઘટનાની જવાબદારી બ્રેકિંગ ન્યૂઝ ચલાવનાર ન્યૂઝ ચેનલોની છે. તેમણે ન્યૂઝ ચેનલો પર આરોપ લગ્યાવ્યો કે તેઓ નાની વાતનું પણ વતેસર બનાવી દે છે. તેમના જણાવ્યા અનુસાર ન્યૂઝ ચેનલવાળાઓએ કુંભમાં નાળામાં પડી જવાથી બે લોકોના મોતની ખબરને મેળામાં થયેલી ભાગદોડ બતાવીને સનસની ફેલાવી દીધી જેના પગલે આ ઘટના ઘટી.
તેમણે જણાવ્યું કે તેમના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર પહોંચી ગયા. રેલવે સ્ટેશન પર વધેલી ભીડ અને રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી ટ્રેનોની ખોટી માહિતીના પગલે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે આ કરુણાંતિકા સર્જાઇ. તેમણે જણાવ્યું કે જો તપાસમાં મારા વિભાગની ભૂલ સામે આવે તો તેઓ તેમના મંત્રી પદેથી પણ રાજીનામુ આપી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી સાંજે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર આ ઘટના ઘટી હતી જેમાં 36 લોકોના મોત થયા હતા. જોકે આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી કુંભમેળાના આયોજક મંત્રી આજમખાને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
