Medicine price fall : ઘટશે દવાના ભાવ, સામાન્ય માણસને થશે લાભ
NPPA એટલે કે ભારતમાં દવાઓની કિંમતો નક્કી કરતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 127 દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઓછી કિંમતની પ્રિન્ટેડ દવાઓ જાન્યુઆરીના બીજા સપ્તાહથી બજારમાં આવવાની છે.
Medicine price fall : દવાખાનામાં પૈસા પાણીની જેમ વપારાય છે, આવું કહેતા તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. આવામાં સરકાર દવાની કિંમતોમાં ઘટાડો કરવા જઇ રહી છે. જેમાં પેરાસિટામેલની કિંમત ઘટાડવામાં આવી છે. પેરાસિટામોલ એક એવી દવા છે, જેનું નામ ભારતમાં દરેક વ્યક્તિ જાણે છે. તાવ, કળતર અને દુઃખાવા માટે આ દવા વપરાય છે. આ સાથે બીજી અન્ય ઘણી દવાઓ છે, જેને પણ લોકો જાણે છે.

NPPA એટલે કે ભારતમાં દવાઓની કિંમતો નક્કી કરતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 127 દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઓછી કિંમતની પ્રિન્ટેડ દવાઓ જાન્યુઆરીના બીજા સપ્તાહથી બજારમાં આવવાની છે. સૌથી પહેલા તો જાણી લો કે આજે કઈ દવાની કિંમત કેટલી છે અને તેને કેટલી ઘટાડી શકાય છે. પેરાસીટામોલની કિંમત અડધી થઈ શકે છે.
Amoxycillin અને Potassium Clavulanate કોમ્બો Amoxycillin અને Potassium Clavulanate - આ એક એન્ટિબાયોટિક દવા છે જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. એક ટેબલેટની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. એ જ રીતે, અન્ય એન્ટિબાયોટિક Moxifloxacin Moxifloxacin 400 MG ની એક ટેબ્લેટની કિંમત રૂ.31 થી સીધા રૂ.21 સુધી ઘટાડી શકાય છે.
પેરાસીટામોલ 650 એમજી : 2 રૂપિયા 30 પૈસા એક ટેબ્લેટ
નવી કિંમત - 1 રૂપિયા 80 પૈસા એક ટેબ્લેટ
એમોક્સિસિલિન કોમ્બો : 22 રૂપિયા એક ટેબ્લેટ
નવી કિંમત - 16 રૂપિયા એક ટેબ્લેટ
Moxifloxin 400 MG : 31 રૂપિયા એક ટેબ્લેટ
નવી કિંમત - 21 રૂપિયા એક ટેબ્લેટ
આ એવી રાહત છે, જે લોકો સુધી તાત્કાલિક પહોંચશે, પરંતુ આ સિવાય મોટી રાહતની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ભારતમાં દવાઓની કિંમતો નક્કી કરવાની ફોર્મ્યુલા બદલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં દવાઓની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલા શું હોવી જોઈએ, તેનો અભ્યાસ કરવાનું કામ ભારતમાં ચાર સંસ્થાઓને સોંપવામાં આવ્યું છે. જે દવાઓ સરકારના ભાવ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આવતી નથી, તેના ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. તે સિવાય તેઓ એક વર્ષમાં 10 ટકાથી વધુ કિંમત વધારી શકતા નથી.

આ સમસ્યા દવાની કિંમત નક્કી કરવાથી શરૂ થાય છે. 2013 સુધી ભારતમાં દવાઓની કિંમતો ખર્ચ અને નફો ઉમેરીને નક્કી કરવામાં આવતી હતી, પરંતુ હવે દવાની કિંમતને તેની પડતર સાથે કોઈ લેવાદેવા નથી. જે દવાઓ ડીસીપીઓ હેઠળ આવતી નથી, તેની કિંમતો ઉત્પાદક પોતે જ નક્કી કરી શકે છે. એટલે કે તે 10,000 રૂપિયા પણ દવાની કિંમત રાખી શકે છે.
કામ કરી રહી છે 20 હજાર ફાર્મા કંપનીઓ
હવે NPPAએ આ અભ્યાસ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, બેંગ્લોર બાયોઇનોવેશન સેન્ટર અને બ્રિજ થિંક ટેન્ક દિલ્હીને વિદેશી દેશોની દવા અને ભારતની નીતિનો અભ્યાસ કરવા માટે સોંપ્યો છે અને જણાવે છે કે, ભારતમાં દવાઓ કેવી રીતે પોસાય તેવા ભાવે વેચી શકાય.
હાલમાં સરકાર માત્ર 886 ફોર્મ્યુલેશનમાંથી બનેલી 1817 દવાઓના ભાવને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. હાલમાં દેશમાં 20 હજાર ફાર્મા કંપનીઓ કામ કરી રહી છે. કેટલીક દવાઓની કિંમતમાં માર્જિન 200 ગણાથી લઈને 1000 ગણા સુધી હોય છે. અમે બજારમાં ઉપલબ્ધ દવાઓની સરખામણી જન ઔષધિ સ્ટોર પર ઉપલબ્ધ દવાઓ સાથે કરી છે, જેને જોઈને તમે સમજી શકશો કે, દવાઓની કિંમત કેટલી ઓછી હોય શકે છે, જે શક્ય નથી. જન ઔષધિ સ્ટોર ચલાવી રહેલા અનૂપ ખન્નાનું માનવું છે કે, જેનરિક દવાઓ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને હવે લોકોના ખિસ્સા પરનો બોજ ઘણો ઓછો થયો છે.
જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા માત્ર 9 હજાર
ભારતમાં જેનરિક દવાઓ વેચવાનું મોટા ભાગનું કામ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કરે છે. ભારતમાં 8 લાખથી વધુ કેમિસ્ટની દુકાનો છે અને જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા હવે 9 હજાર થઈ ગઈ છે. એટલે કે કુલ છૂટક દવા બજારના 1 ટકા. છેલ્લા ઘણા વર્ષોમાં જન ઔષધિની ગુણવત્તા પર કરવામાં આવેલી મહેનત દર્શાવે છે કે, આ એક ટકાનો પણ લોકોને ઘણો ફાયદો થયો છે.
ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસ બ્યુરોના સીઈઓ રવિ દધીચના જણાવ્યા અનુસાર, દર વર્ષે વેચાણ વધી રહ્યું છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં, ગયા વર્ષના 893 કરોડની સામે, સરકારના જન ઔષધિ કેન્દ્રોએ 1200 કરોડનું વેચાણ કર્યું હશે.
સરકારનો દાવો છે કે, ભારતના લોકોએ 893 કરોડ રૂપિયાની દવાઓ ખરીદીને 5,300 કરોડ રૂપિયા બચાવ્યા છે. છેલ્લા 8 વર્ષની બચત સહિત લોકોને 18 હજાર કરોડનો ફાયદો થયો છે. જન ઔષધિ સ્ટોર પર હૃદયરોગની એટોર્વાસ્ટેટિન 10 મિલિગ્રામની એક ટેબ્લેટની કિંમત 8 રૂપિયા છે, જ્યારે બ્રાન્ડેડ દવાની કિંમત 58 રૂપિયા છે.
આવી જ રીતે ડાયાબિટીસ માટે મેટફોર્મિન મેટફોર્મિન 1000 મિલિગ્રામની ટેબ્લેટની કિંમત જન ઔષધિ સ્ટોર પર રૂપિયા 6 છે, જ્યારે બ્રાન્ડેડ થતાંની સાથે જ તેની કિંમત રૂપિયા 20 છે. બજારની તુલનામાં આ તફાવત 60 થી 90 ટકા સુધીનો છે, પરંતુ જન ઔષધિ સ્ટોર પર દરેક દવા ઉપલબ્ધ નથી.
વધુ છે દવાઓની કિંમત
ભારતમાં લોકોએ સ્વાસ્થ્ય સંભાળ માટેના 70 ટકા ખર્ચ પોતાના હાથમાંથી ચૂકવવા પડે છે. લોકો પોતાનું મકાન વેચીને અથવા લોન લઈને સારવાર કરાવવા મજબૂર છે. આનો સૌથી મોટો હિસ્સો દવાઓ પરનો ખર્ચ છે. જોકે, સરકારે જેનરિક જન ઔષધિ સ્ટોર્સ પર હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોની દવાઓ વેચવાનું શરૂ કર્યું છે, જે લોકોએ જીવનભર ખરીદવી પડે છે.
અત્યારે માત્ર 1 ટકા ફાર્માસ્યુટિકલ માર્કેટ પર કામ થયું છે. તેથી જ બ્રાન્ડેડ દવાઓના ભાવ પર અંકુશ રાખ્યા વિના લોકોને રાહત મળવાની નથી. જો તમે તમારી નજીકમાં જન ઔષધિ સ્ટોર શોધી રહ્યા છો, તો જન ઔષધિ સુગમ એપની મદદ લો. દવા ન મળે તો ફરિયાદ કરવાની પણ જોગવાઈ છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
