નાગરિકતા કાયદા પર મેઘાલયના રાજ્યપાલ, ‘તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો'
નાગરિકતા એક્ટ પર વિરોધ વચ્ચે મેઘાલયના રાજ્યપાલે એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ વધી શકે છે.
નાગરિકતા સુધારા બિલનો પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યો અસમ, ત્રિપુરા ઉપરાંત મેઘાલયમાં પણ આ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે મેઘાલયની રાજધાની શિલૉન્ગમાં પણ વિરોધ પ્રદર્શનને જોતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે જેમાં આજે થોડી ઢીલ આપવામાં આવી છે. વળી, આ એક્ટ પર વિરોધ વચ્ચે મેઘાલયના રાજ્યપાલે એક એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ વધી શકે છે.

દેશના ક્યારેક ધર્મના નામે ભાગલા પાડવામાં આવ્યા હતાઃ રાજ્યપાલ
મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયે કહ્યુ કે લોકતંત્ર અનિવાર્ય રીતે વિભાજનકારી છે, જો તમે આને ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો. રાજ્યપાલ પરોક્ષ રીતે નવા નાગરિકતા એક્ટનુ સમર્થન કરી રહ્યા હતા. તેમણે ટ્વિટ કર્યુ, ‘વિવાદના વર્તમાન માહોલમાં બે વાતોને ક્યારેય ન ભૂલવી જોઈએ. પહેલી કે દેશના ક્યારેક ધર્મના નામ પર ભાગલા પાડવામાં આયા હતા અને બજી કે લોકતંત્ર અનિવાર્ય રીતે ભાગલાવાદી છે.' તેમણે આ ટ્વિટમાં આગળ લખ્યુ કે જો તમે આ ન ઈચ્છતા હોય તો ઉત્તર કોરિયા જતા રહો.
|
તો ઉત્તર કોરિયા જતા રહોઃ રાજ્યપાલ
રાજભવનના ગેટ પર પ્રદર્શનકારીઓ પહોંચવાના થોડા કલાક પહેલા જ તેમનુ આ ટ્વિટ આવ્યુ હતુ. આ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ઘેરાને તોડવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, આ લાઠીચાર્જમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન બે પોલિસકર્મી પણ ઘાયલ થઈ ગયા હતા. મેઘાલય ઉપરાંત અસમ અને ત્રિપુરામાં પણ નાગરિકતા કાયદાનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

મેઘાલયમાં પણ થઈ રહ્યો નાગરિકતા કાયદાનો વિરોધ
મેઘાલયમાં પણ ઈન્ટરનેટ અને એસએમએસ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. નાગરિકતા સુધારા બિલના વિરોધમાં સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન અસમમાં જોવા મળ્યુ છે. જ્યાં ગુરુવારે હિંસક પ્રદર્શન દરમિયાન પોલિસ ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓનુ મોત થઈ ગયુ હતુ. આ પ્રદર્શનને 30 છાત્ર સંગઠનો અને ડાબેરી પક્ષોનુ સમર્થન મળી રહ્યુ છે. અસમમાં હજારો પ્રદર્શકારીઓએ રેલવે અને રસ્તા પર પ્રદર્શન કર્યા. આ કારણ રાજ્યમાં રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયુ. પ્રદર્શનકારીઓએ વિધાનસભા, સચિવાલયમાં ઘૂસવાની કોશિશ કરી, પોલિસ બેરીકેડ્સ તોડ્યા, આગ લગાવી અને તોડફોડ પણ કરી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
