મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્ર મહેબૂબા મુફ્તીએ કહ્યુ છે કે લોકસભા 2019ની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ રહેશે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્ર મહેબૂબા મુફ્તીએ કહ્યુ છે કે લોકસભા 2019ની ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ રહેશે. આ હાલના દિવસોમાં તેમના દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીમાં સૌથી નવુ છે. મહેબૂબા મુફ્તી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારનો વિરોધ ત્યારથી કરી રહ્યા છે જ્યારથી ભાજપ જમ્મુ કાશ્મીરમાં પીડીપીથી અલગ થઈ ગઈ હતી.

તેમણે હાલમાં જ કહ્યુ હતુ કે ભારત લોકસભા ચૂંટણી પ્રક્રિયા થવા સુધી સીમા પાર તણાવનો કોઈ અંત નહિ દેખાઈ રહ્યો. તેમણે કહ્યુ હતુ કે, 'જ્યાં સુધી ચૂંટણી ચાલુ છે ત્યાં સુધી સીમા પારથી ગોળીબારી ચાલુ રહેશે.' મહેબૂબાએ ત્યારે ભાજપ પર હુમલો કરતો કહ્યુ કે તેમના નેતા વારંવાર એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ પોતાના લાભ માટે કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે મુફ્તીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં જમાત એ ઈસ્લામી પર પ્રતિબંધ લગાવ્યા બાદ કેન્દ્રના ચુકાદા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાના હુમલા પર સવાલ પણ ઉઠાવ્યા અને કહ્યુ કે ઈમરાન ખાન પુલવામા હુમલા છતાં વધુ એક મોકો ઈચ્છે છે.












Click it and Unblock the Notifications
