લોકસભામાં વંદેમાતરમ..નું અપમાન, ભડક્યા મીરા કુમાર

ગુસ્સે ભરાયેલા મીરા કુમારે સદનમાં ઉપસ્થિત તમામ સભ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ થવી ના જોઇએ. વંદેમાતરમની ધુન શરૂ થયા બાદ અધ્યક્ષે કહ્યું કે, એક માનનીય સભ્ય વંદેમાતરમની ધુન દરમિયાન સદનની બહાર જતા રહ્યા. મેં તેની ગંભીર નોંધ લીધી છે. હું જાણવા માંગુ છું કે આવું શા માટે કરવામાં આવ્યું.
તેમણે કડક શબ્દોમાં ચેતવાણી આપતા કહ્યું છે કે, આવું ભવિષ્યમાં થવું ના જોઇએ. સદનમાં વંદેમાતરમની ધુન શરૂ થાય તે સમયે તમામ સભ્યો પોતાના સ્થાન પર ઉભા થઇ ગયા હતા અને એ સમયે જ ભાજપ નેતા શફીફુર્રહમાન બર્કને સદનની બહાર જતા દર્શાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
