નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન PIO, OCI કાર્ડ્સનું વિલિનીકરણ થઇ શકે
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે યુપીએ સરકારે લીધેલા એક નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ - OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ - PIO)નું વિલિનીકરણ (મર્જર) થઇ શકે છે.
આ અંગેની અન્ય વિગતો જાણવા આગળ ક્લિક કરો...

ક્યારે થઇ શકે છે ઘોષણા?
આ અંગેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન કરવામાં આવશે એવી ધારણા છે.

યુપીએ સરકારે ક્યારે નિર્ણય લીધો હતો?
નોંધનીય છે કે વર્ષ 2011માં તત્કાલીન યુપીએ સરકારે આ ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ - OCI) અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ - PIO)ના વિલિનીકરણનો નિર્ણય લીધો હતો.

મોદીની US મુલાકાત પહેલા MOIAને મનાવી લેવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અંગેની જાહેરાત કરાવવા માટે વડાપ્રધાનના અગ્ર સચિવ નિપેન્દ્ર મિશ્રાએ 23 સપ્ટેમ્બરે મિનિસ્ટ્રી ઓફ ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને મનાવી લીધા હતા.

મર્જરથી શું લાભ?
બે કાર્ડના મર્જરને શક્ય તેટલી ઝડપથી અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી વિદેશમાં રહેતા ભારતીયોનો પ્રવાસ વધારે સુગમ બનશે. તેઓએ ભારતીય વિઝા મેળવવાની કે અન્ય કોઇ લાંબી પ્રક્રિયા કર્યા વિના સરળતાથી ભારતમાં આવી શકશે. જેથી તેઓ ભારતમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકશે.

PIO કાર્ડ્સ કોને આપવામાં આવે છે?
PIO (પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન)કાર્ડ્સ એવા ભારતીયોને આપવામાં આવે છે જેઓ છેલ્લી કેટલીક પેઢીઓથી ભારતની બહાર વિદેશમાં વસતા હોય. આ કાર્ડ ધરાવનારાઓએ ભારત આવવા માટે અલગથી વિઝા અરજી કરવી પડે છે.

OCI કાર્ડ્સ કોને આપવામાં આવે છે?
OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાંથી બહાર જઇને અન્ય દેશમાં વસેલા અને ત્યાંનું નાગરિકત્વ મેળવનારા ભારતીયોને આપવામાં આવે છે. એક રીતે કહીએ તો OCI વર્ચ્યુઅલ વિઝા છે જે આ કાર્ડ હોલ્ડરને ચોક્કસ સમય માટે ભારતમાં આવવાની છૂટ આપે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
