એર ઈન્ડિયામાં વિસ્તારા એરલાઈનનો વિલય, CCI એ મંજુરી આપી
ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કમાન સંભાળ્યા બાદ હવે એક મોટા સમાચાર આવ્યા છે. હવે સીસીઆઈએ એર ઈન્ડિયામાં વિસ્તારામાં વિલયની મંજુરી આપી દીધી છે.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાના એર ઈન્ડિયામાં મર્જરને મંજૂરી આપી દીધી છે. આ સાથે સીસીઆઈએ સિંગાપોર એરલાઈન્સ દ્વારા એર ઈન્ડિયામાં કેટલાક શેરહોલ્ડિંગના અધિગ્રહણને પણ મંજૂરી આપી દીધી છે.

વિસ્તારા અને એર ઈન્ડિયા ટાટા ગ્રૂપની ફુલ સર્વિસ એરલાઈન્સ છે. સિંગાપોર એરલાઇન્સ વિસ્તારામાં 49 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા ગ્રૂપે ગયા વર્ષે નવેમ્બરમાં એર ઈન્ડિયા સાથે તેના વિસ્તરણ મર્જરની જાહેરાત કરી છે. એક ડીલ હેઠળ સિંગાપોર એરલાઈન્સ પણ એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હસ્તગત કરશે.
જણાવી દઈએ કે, ભારત સરકાર પાસેથી ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કમાન સંભાળી છે. હવે આ બન્ને એરલાઈનનું મર્જર થતા હવે બન્ને મળીને એક મોટી એરલાઈન બની જશે.












Click it and Unblock the Notifications
