Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહારાષ્ટ્રમાં શેરડી મામલે ઉગ્ર આંદોલન, બેના મોત

sugarcane
મુંબઇ, 13 નવેમ્બર: મહારાષ્ટ્રના ઘણા પ્રદેશોમાં શેરડીની કિંમત વધારાની માંગને લઇને ખેડૂતો દ્વારા પૂણે, સોલાપૂર, અહમદનગર જિલ્લામાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે પ્રતિ ટન 3000 હજાર રૂપિયા આપવામાં આવે. સોમવારે થયેલી ધમાલમાં એક ખેડૂતના ટ્રકની નીચે આવી જતા એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ખેડૂતનું સાંગલી ખાતે પોલીસ ફાયરિંગમાં મોત થયું છે.

આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતા રાજુ શેટ્ટીની આજે ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં 2000 જેટલા આંદોલનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ ઇંદાપુરની મુલાકાત કરવાના છે. તેમની સુરક્ષા માટે કાર્યકરતાઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજુ શેટ્ટીની ધરપકડના વિરોધમાં ઇંદાપુરમાં ખેડૂતોએ એક બને આગ ચાંપી દીધી હતી, તેમજ ઘણી ગાડીઓની તોડફોડ કરી હતી. આ ધમાલમાં એક ખેડૂતનું અકસ્માતે મોત થયું હતુ. પૂણેમાં હિંસક બનેલા આંદોલનકારીઓએ ટ્રકમાં તોડફોડ કરી.

આ ખેડૂતો સીએમ પૃથ્વીરાજ ચૌહાણ સાથે મુલાકાત કરવાની કોશીશ કરી રહ્યા છે. પરંતુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે શેરડીના ભાવને લઇને સરકાર કઇ કરી શકે તેમ નથી. જ્યારે સરકારનું કહેવું છે કે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X