પંજાબના ખેલાડીઓના ડાયેટમાં સામેલ થશે આખુ અનાજ, બધા રમત ગમત કેન્દ્રો પર લાગુ
ચંદીગઢઃ પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેરે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના ખેલાડીઓને સંતુલિત અને પૌષ્ટિક આહાર આપવા માટે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા પંજાબ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ (પીઆઈએસ)ની સ્થાપના કરવામાં આવી છે.
તમામ રમત કેન્દ્રોના ખેલાડીઓના આહારમાં આખા અનાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત રાજ્યના તમામ રમતગમત કેન્દ્રોમાં પણ લાગુ કરવામાં આવશે. રમતગમત મંત્રીએ માહિતી આપી હતી કે આખા અનાજને અઠવાડિયામાં ત્રણ વખત રાગીના દલિયા, બાજરીના રોટલા અને બાજરી-દાળની ખીચડીના રૂપમાં આપવામાં આવશે.

ઑનલાઇન અને ઑફલાઇન વર્ગો દ્વારા વિદ્યાર્થીઓને આખુ અનાજ ખાવાના ફાયદાઓ વિશે સમયાંતરે જાગૃત કરવામાં આવશે. આ પહેલ મુખ્યમંત્રી ભગવંત માનના સ્વસ્થ અને સમૃદ્ધ પંજાબના વિઝનને પૂર્ણ કરશે.
મુખ્ય સચિવ રાખી ગુપ્તા ભંડારીએ જણાવ્યું હતું કે આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ 'ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ - 2023'ની તર્જ પર લેવામાં આવ્યો છે. આ નવતર સાહસને અમલમાં મૂકવા માટે રમતગમત વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
