મંત્રી હરપાલ ચિમાએ સાધ્યું સિદ્ધુ પર નિશાન, કહ્યું - આપ સરકારે પહેલા જ વર્ષમાં મોટાભાગના વચનો પુરા કર્યા

નાણા મંત્રી હરપાલ ચિમાએ જણાવ્યું હતું કે, આ પહેલા કોંગ્રેસની સરકારે લોકોને કરેલા ચૂંટણી વચનો પુરા કર્યા નથી. કોંગ્રેસને સાડા ચાર વર્ષ બાદ પોતાનો મુખ્યમંત્રી બદલાવો પડ્યો હતો. નવજોત સિદ્ધુ તાજેતરમાં એક વર્ષની સજા ભોગવીને બહાર આવ્યા છે. જેમને કાયદાનું ઉલંઘન કર્યું છે. આ પહેલાની સરકારો માફિયાઓની આગેવાની કરતી હતી.

હરપાલ ચિમાએ જણાવ્યું હતું કે, તે સમયે આમ આદમી પાર્ટીએ વિપક્ષની સાર્થક ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ દરમિયાન લઠ્ઠાકાંડમાં 128 લોકોના મોત થયા હતા, જેમાં પૂર્વ ધારાસભ્યનું નામ સામે આવ્યું હતું. નવજોત સિદ્ધુ આજે આ ધારાસભ્યને મળી રહ્યા છે.

Harpal Cheema

વર્તમાન સરકારે 28 હજારથી વધુ નોકરીઓ આપી છે. દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું, જે પૂરું થયું છે.

કોંગ્રેસના લોકો આ વાત જાણતા નથી. કારણ કે, તેમના ઘરોમાં ઘણા એસી ચાલે છે. આજે પંજાબના 90 ટકા લોકોને ઝીરો વીજળીનું બિલ મળી રહ્યું છે.

આ અગાઉની સરકારના સમયથી PSPCL સામે રૂપિયા 9300 કરોડ બાકી હતા. આ વર્ષે વીજળીની સબસિડી માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. અમારી સરકારે આ સબસિડી સમયસર બહાર પાડી છે. જ્યારે 9300 કરોડમાંથી પ્રથમ અને બીજો હપ્તો પણ ગયો છે.

આમ આદમી પાર્ટીની સરકારમાં આબકારી નીતિને કારણે 41 ટકાથી વધુનો વધારો થયો હતો. 500 આમ આદમી ક્લિનિક્સ ખોલવામાં આવ્યા હતા. શિક્ષકોને તાલીમ માટે સિંગાપુર મોકલવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પહેલા વર્ષમાં જ AAP સરકારે મોટાભાગના વાયદા પૂરા કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X