મંત્રી નવાબ મલિકનો આરોપ, ક્રુઝ રેડમાં ભાજપના નેતાના સંબંધીને છોડી દેવાયો!
ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
મુંબઈ, 9 ઓક્ટોબર : ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે શનિવારે આરોપ લગાવ્યો કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મોટો આરોપ લગાવ્યો છે. મંત્રી મલિકનો દાવો છે કે મુંબઈના દરિયા કિનારે ક્રુઝ જહાજ પર NCB ના દરોડા દરમિયાન પકડાયેલા ભાજપના નેતાના સંબંધીને છોડી દેવામાં આવ્યો હતો.
નવાબ મલિકે દાવો કર્યો હતો કે એનસીબીની ટીમે ભાજપના નેતા મોહિત કંભોજના સાળા ઋષભ સચદેવની અટકાયત કરી હતી, પરંતુ ડ્રગ્સનો પર્દાફાશ થયા બાદ તેને જલ્દી છોડી દેવામાં આવ્યો હતો. મોહિત કંભોજ મુંબઈ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ છે. મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના મંત્રી નવાબે આરોપ લગાવ્યો કે ડ્રગ વિરોધી એજન્સીએ ઋષભ સચદેવ સહિત ત્રણ લોકોને મુક્ત કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં તેના પંચનામામાં કહ્યું છે કે આર્યન ખાને સ્વીકાર્યું છે કે તે ચરસનું સેવન કરે છે. અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટ અંગે NCB એ કહ્યું છે કે અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી 6 ગ્રામ ચરસ મળી આવ્યું છે. જે વૈભવી ક્રૂઝ પર જઈ રહ્યો હતો. ઇન્ડિયા ટુડેએ આ અહેવાલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પંચનામાના આધારે આપ્યો છે. 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈના દરિયામાં NCB એ રેવ પાર્ટીમાં ક્રૂઝ પર દરોડો પાડ્યો હતો અને આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. NCB ના પંચનામામાંથી ઘણી બાબતો બહાર આવી હતી.