Vande Bharat: આખરે કેમ કેસરિયો રંગ થયો વંદે ભારત ટ્રેનનો રંગ, રેલમંત્રીએ કર્યો ખુલાસો
ભારતમાં નિ્ર્મિત સેમી હાઇસ્પડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 માં રેન્કનો રંગ કેસરીયો એટલે કે ભગવો છે. રેલવે અધિકારીઓએ કહ્યુ કે વંદે ભારત ટ્રેનની 28 રેન્કનો રંગ ભગવો છે. કેસરિયા રંગ વાળી વંદે ભારત ટ્રેનની તસવીર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શરુ કરી છે. રેલ મંતર્ી અશ્વિની વૈષ્ણવે એ પણ કહ્યુ કે, વાદળી રંગની જગ્યાએ વંદે ભારતનો ભગવો કલર પ્રેરણા આપે છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે ચેન્નઇના ઇંટીગ્રલ કોચ ફેકટરીનું નિરીક્ષણ કર્યુ હતુ. દક્ષિમી રેલવેમાં સુરક્ષા ઉપાયોની સમીક્ષા કરી અને વંદે ભારત એક્સપ્રેસમાં સુધારાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, સ્વદેશી ટ્રેનની 28 મી રેન્કનો રંગ ભારતીય રાષ્ટ્રીય ધ્વજના તિરંગામાથી પ્રેરિત છે. તેમણે કહ્યુ કે, વંદે ભારત ટ્રેનમાં 25 સુધાર કરવામાં આવ્યા છે.
અશ્વિની વૈષ્મવે કહ્યુ કે, " આ મેકઇન ઇન્ડિયાનો એક કોન્સેપ્ટ છે. જેનો અર્થ છે કે, આ ટ્રેન ભારતમાં આપણા પોતાના એન્જીનિયરો અને ટેક્નીશિયનો દ્વાર ડિઝાન કરવામાં આવી છે . એટલા માટે વંદે ભારત ટ્રેન સંચાલન દરમિયાન એસી, શોચાલયના સંબધમાં જે પણ ફીડબેક મળી રહ્યા છે તેના આધારે બદલાવ કરવા માટે તૈયાર છે"
અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, " એક નવી સુરક્ષા સિવિધા, એન્ટી ક્લાઇંબર્સ કે, એન્ડી ક્લાઇબિગ ડિવાઇસ જેના પર અમે કામ કરી રહ્યા છીએ તેની ફમ સમીક્ષા જલ્દી કરવામાં આવશે. આ તમામ નવી વંદે ભારત અને અ્ય ટ્રેનમાં માનક સુવિધાએ હશે.












Click it and Unblock the Notifications
