Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hanuman Jayanti : હનુમાન જયંતી અંગે ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, આપ્યા આ આદેશ

Hanuman Jayanti : દેશના ઘણા રાજ્યોમાં રામનવમી દરમિયાન હિંસા અને ઘર્ષણ બાદ હવે ગૃહ મંત્રાલયે હનુમાન જયંતીની ઉજવણી માટે એડવાઇઝરી જાહેર કરી છે. આવી ઘટના બીજી વાર ન બને તે કારણે ગૃહ મંત્રાલયના તમામ રાજ્યો માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

રામ નવમીના દિવસે 30 માર્ચના રોજ પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ઘણી જગ્યાએ હિંસા જોવા મળી હતી.

Ministry of Home Affairs

બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ વધુ તંગ જોવા મળી રહી છે. આ હિંસાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને હનુમાન જયંતિની તૈયારીઓ અંગે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઈઝરીમાં, રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર દેખરેખ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. જેના કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની સંભાવના રહેલી હોય, એવા તમામ પાસાઓ પર નજર રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X