કેજરીવાલ કરે તો અપમાન, સાંસદ-ધારાસભ્યો કરે તો સન્માન
નવીદિલ્હી, 14 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં જે રીતે બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોએ આજે ચપ્પલ-જૂતાં પહેરી ટેબલ પર ચઢીને હંગમો કર્યો, કાગળો રાજ્યપાલ પર ફેંક્યા અને પોસ્ટર, બેનર લહેરાવ્યા, તેને જોઇને કોઇ સામાન્ય વ્યક્તિ પણ એવું જ કહેશે કે આ સદનનું અપમાન છે. શું આ ધારાસભ્યો કે પછી આવું જ કામ સંસદ ભવનની અંદર કરનારા સાંસદો વિરુદ્ધ ક્યારેય પણ કોઇ કેસ થાય છે? ના! તો પછી કેજરીવાલ વિરુદ્ધ કેમ. આ તે એ વાત થઇ ગઇ કે, તમે કરો તો સન્માન અને હું કરું તો અપમાન.

કેજરીવાલે તો જીભને કાબુમાં રાખી લીધી, પરંતુ આપણા સાંસદ અને ધારાસભ્યો પોતાને કાબુમાં નથી રાખી શક્યા. દેશના સાંસદ-ધારાસભ્યો અવાર-નવાર આવા ચમત્કાર કરતા રહે છે. સદનની અંદર ટેબલ પર ઉભા રહીને અખિલેશ યાદવની સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરનારા ધારાસભ્યોને કદાચ એ ખબર નહીં હોય કે, સદન એક મંદિર છે અને આ મંદિરની અંદર કાયદાકીય રીતે જૂતાં-ચપ્પલ પહેરીને જવાની મનાઇ હોય છે, પરંતુ આ વાતને હવે કોઇ નથી માનતુ.
અમે અહીં માત્ર બસપા વિરુદ્ધ ભડાસ કાઢવા માટે નથી બેઠા અને ના તો અખિલેશ સરકારની સાઇડ લઇ રહ્યા છીએ, કારણ કે જે કામ બસપાના ધારાસભ્યોએ આજે કર્યુ છે, તે કામ સપાના ધારાસભ્યો માયાવતી સરકારના સમયે કરતા હતા. આવું માત્ર યુપીમાં જ નહી પરંતુ જમ્મુ-કાશ્મિરથી લઇને તામિળનાડુ સુધી દરેક સ્થળે આવી ઘટનાઓ ઇતિહાસના પન્નાઓમાં નોંધાયેલી છે.
દરેક વખતે દેશની જનતા ટીવી પર સદનના નઝારા જુઓ છે અને કંઇ બોલતી નથી. જનતા ચુપ છે, તેનો અર્થ એ નથી કે તે હંમેશા આ સહન કરશે. અમે અહીં દેશના માનનીયોને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે જનતાની ભાવનાને છંછેડો નહી. એ પણ ના ભુલો કે સદનની કાર્યવાહી જનતાના પૈસાથી ચાલી રહી છે. જો આવું નિરંતર થતું રહે, તો એકના એક દિવસે દેશની જનતા પોતાની સ્ટાઇલમાં તમને પાઠ ભણાવશે.












Click it and Unblock the Notifications
