તમામ મંત્રીઓ બે મહિનામાં પોતાની સંપત્તિની વિગત આપે: વડાપ્રધાન
નવી દિલ્હી, 10 જૂન: નરેન્દ્ર મોદી સરકારના તમામ મંત્રીઓએ પોતાની સંપત્તિ, દેનદારી અને કોઇ પણ પ્રકારના વ્યાવસાયિક હિતની વિગત બે મહીનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરવાની રહેશે.
આ મંત્રીઓ પાસે એક પ્રકારે કોઇપણ પ્રકારના વ્યવસાયથી પોતાને દૂર રાખવાનું કહેવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે જે મંત્રી સરકારમાં પોતાની નિમણૂંક થયા પહેલા કોઇ વ્યવસાય કે ધંધામાં જોડાયેલા હોય તો તેનાથી તમામ પ્રકારના સંબંધો સમાપ્ત કરી લો.
આ સંહિતાના અનુપાલનની રખેવાળી વડાપ્રધાન કરશે. આમાં મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ પ્રશાસનિક આધિકારીઓની રાજનૈતિક નિષ્પક્ષતા બનાવી રાખો તથા કોઇ અધિકારીને એવું કામ કરવા માટે ન કહો જે તેમના દાયિત્વો અને જવાબદારીઓથી પ્રતિકૂળ હોય.
મંત્રી દ્વારા આપવામાં આવેલ વિગતમાં અચલ સંપત્તિઓની તમામ જાણકારી સામેલ થશે જેમાં તેમની પોતાની તથા પારિવારિક સભ્યોના શેર્સ અને ડિબેંચરોનું કૂલ મૂલ્ય, રોકડ અને આભૂષણ વગેરેનો સમાવેશ થાય છે. સંપત્તિઓ અને દેનદારીયો અંગે કોઇ નાણાકિય વિશેષ માટે હોઇ શકે છે જેનું ટેક્સ રિટર્ન પહેલાથી જ દાખલ કરી દેવામાં આવ્યું હોય.