Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Modi Cabinet 3.O: કેવું હશે મોદીનું મંત્રીમંડળ? સાઉથમાંથી આ નેતા બની શકે મંત્રી

Modi Cabinet 3.O: ભારતની 18મી લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવવા માટે તૈયાર છે. રવિવારે સાંજે શપથ ગ્રહણ સમારોહના સમય સુધીમાં નરેન્દ્ર મોદીની નવી મંત્રી પરિષદને આખરી ઓપ અપાય તેવી અપેક્ષા છે.

મંગળવાર, 4 જૂનના રોજ પરિણામ જાહેર થયા પછી, એનડીએ 293 બેઠકો પર છે, જ્યારે વિપક્ષી ભારત બ્લોક 234 બેઠકો પર છે. તેમાંથી ભાજપ 240 બેઠકો પર છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે.

આવી સ્થિતિમાં મોદી કેબિનેટમાં કોને મંત્રી પદ મળી શકે છે? તે અંગે ભારે અટકળો ચાલી રહી છે. દક્ષિણ ભારતના કેટલાક ભાજપના નેતાઓના નામ મંત્રી પદ માટે ચર્ચામાં છે. આમાં પ્રહલાદ જોશીનું નામ સામેલ છે.

પ્રહલાદ જોશી ગત કેબિનેટમાં કેન્દ્રીય સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રી હતા. તેમના સિવાય તમિલિસાઈ સૌંદરરાજન, શોભા કરંદલાજે, યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્ર, સુરેશ ગોપી, ભગવંત ખુબા અને દગ્ગુબતી પુરંદેશ્વરીના નામ સામેલ છે.

Modi Cabinet 3 O

પ્રહલાદ જોશી - આ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકના ધારવાડથી પ્રહલાદ જોશી જીત્યા છે. અગાઉની કેબિનેટમાં તેઓ સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રાલયો સંભાળતા હતા. આ વખતે પણ મોદી સરકાર તેમને પોતાની કેબિનેટમાં મહત્વપૂર્ણ સ્થાન આપી શકે છે.

તમિલિસાઈ સૌંદરરાજન - તમિલિસાઈ સૌંદરરાજનને પણ આ વખતે મોદી કેબિનેટમાં સ્થાન મળવાની આશા છે. જોકે, તે આ લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે ચેન્નાઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જ્યાં તેમને DMK ઉમેદવારના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

શોભા કરંદલાજે - કર્ણાટકના બેંગ્લોર નોર્થથી જીતેલા શોભા કરંદલાજેને પણ આ વખતે મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

BY રાઘવેન્દ્ર - કર્ણાટકની શિમોગા સીટથી જીતીને સંસદમાં પહોંચેલા BY રાઘવેન્દ્રને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, BY રાઘવેન્દ્ર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર છે.

સુરેશ ગોપી - સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર અને બીજેપી નેતા સુરેશ ગોપીને પણ આ વખતે કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેરળના ત્રિશૂરથી જીતેલા સુરેશ ગોપી કેરળમાં બીજેપી તરફથી જીતનારા એકમાત્ર સાંસદ છે.

ભગવંત ખુબા - ભારતના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી પદ સંભાળી ચુકેલા ભગવંત ખુબાને ફરી એકવાર કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તેઓ કર્ણાટકના બિદરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીત નોંધાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

દગ્ગુબાતી પુરંદેશ્વરી - આંધ્રપ્રદેશની રાજમુંદરી સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા દગ્ગુબાતી પુરંદેશ્વરીને મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X