Modi Cabinet: મોદી કેબિનેટમાં દરેકની ભાગીદારી કેટલી? જાણો કેટલા OBC, SC અને ST મંત્રીની સંખ્યા અને નામ
Modi Cabinet: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાન મોદીની સરકારમાં આ વખતે જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને કેબિનેટનું વિભાજન કરવામાં આવ્યું છે.
આ વખતે વડાપ્રધાન મોદીની નવી ટીમમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. તમામ મંત્રીઓ 24 રાજ્યો તેમજ દેશના તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
PM મોદીની કેબિનેટમાં કયા વર્ગના કેટલા નેતા? - PM મોદીની આ નવી કેબિનેટમાં 21 સવર્ણ જાતિ, 27 OBC, 10 SC, 5 ST અને 5 લઘુમતી પ્રધાનો સામેલ છે. આમાં 18 વરિષ્ઠ મંત્રીઓ પણ સામેલ છે.
વડાપ્રધાન મોદીની આ નવી કેબિનેટમાં એનડીએના સહયોગી દળોમાંથી 11 મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમાંથી 43 એવા સાંસદો મંત્રી બન્યા છે, જેમણે 3 કે તેથી વધુ ટર્મ સુધી સંસદમાં સેવા આપી છે. આ સાથે 39 એવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જેઓ ભારત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

PM મોદીની કેબિનેટમાં કોને મળ્યું સ્થાન? - વડાપ્રધાન મોદીની આ કેબિનેટમાં ઘણા પૂર્વ મુખ્યમંત્રીઓ, 34 રાજ્યોની વિધાનસભાઓમાં રહી ચૂકેલા સભ્યો અને 23 રાજ્યોમાં મંત્રી તરીકે કામ કરી ચૂકેલા સભ્યોને પણ સાંસદ તરીકે ચૂંટાયા બાદ સ્થાન આપવામાં આવ્યું છે.
સવર્ણ જાતિના મંત્રીઓમાં અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, રાજનાથ સિંહ, જિતિન પ્રસાદ, જયંત ચૌધરી, ધર્મેન્દ્ર પ્રધાન, રવનીત બિટ્ટુ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, મનોહર લાલ ખટ્ટર, જિતેન્દ્ર સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત, સંજય સેઠ, રામ મોહન નાયડુ, સુકાંત મજૂમદાર, પ્રહલાદ જોશી, જેપી નડ્ડા, ગિરિરાજ સિંહ, લલન સિંહ, સતીશ ચંદ્ર દુબેનો સમાવેશ થાય છે.
OBC નેતાનો કેબિનેટમાં સમાવેશ - ઓબીસી મંત્રીઓમાં સીઆર પાટીલ, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, બીએલ વર્મા, રક્ષા ખડસે, પ્રતાપ રાવ જાધવ, શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાવ ઈન્દ્રજીત સિંહ, કૃષ્ણપાલ ગુર્જર, ભૂપેન્દ્ર યાદવ, ભગીરથ ચૌધરી, અન્નપૂર્ણા દેવી, શોભા દેવી, શોભા એચડી કુમારસ્વામી, નિત્યાનંદ રાયનો સમાવેશ થાય છે.
કેબિનેટમાં દલિત નેતાનો સમાવેશ - દલિત મંત્રીઓ પર નજર કરીએ તો તેમાં એસપી બઘેલ, કમલેશ પાસવાન, અજય તમટા, રામદાસ આઠવલે, વીરેન્દ્ર કુમાર, સાવિત્રી ઠાકુર, અર્જુન રામ મેઘવાલ, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, રામનાથ ઠાકુરનો સમાવેશ થાય છે.
કેબિનેટમાં આદિવાસી નેતાઓનો સમાવેશ - આદિજાતિ મંત્રીઓમાં જુઆલ ઓરમ, શ્રીપદ યેસો નાઈક, સર્બાનંદ સોનોવાલનો સમાવેશ થાય છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
