For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમની માતાના નિધન પર મોદીએ વ્યક્ત કર્યો શોક

|
Google Oneindia Gujarati News

modi
ચેન્નાઇ/પણજી, 7 જૂન: કેન્દ્રીય નાણા મંત્રી પી. ચિદમ્બરમની 92 વર્ષિય માતા લક્ષ્મી પલાનિયપ્પનનું શુક્રવારે લાંબી બીમારી બાદ નિધન થઇ ગયું. પોલીસે જણાવ્યું કે તે છેલ્લા એક મહીનાથી બીમાર હતા તથા તેમણે ચેન્નાઇ સ્થિત પોતાના રહેઠાણ સ્થળે અંતિમ શ્વાસ લીધા. નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ભાજપની કાર્યકારિણી બેઠકમાં હાજરી આપવા માટે ગોવામાં છે. મોદીએ નાણામંત્રી પી. ચિદમ્બરમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ સોશિયલ મીડિયા સાઇટ, ટ્વિટર પર જણાવ્યું કે 'પી. ચિદમ્બરમની માતા લક્ષ્મી પલાનિયપ્પનના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું. ઇશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.'

લક્ષ્મી પલાનિયપ્પનના બે દિકરા છે એક પી. લક્ષ્મણ અને ચિદમ્બરમ. પોતની માતાના નિધનના સમાચાર સાંભળીને ચિદમ્બરમ વિમાન દ્વારા ચેન્નાઇ પહોંચી ગયા. ચિદમ્બરમની માતાનું અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે જ કરવામાં આવશે. તમિલનાડુના રાજ્યપાલ કે. રૌસૈયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, તમિલનાડુ વિધાનસભાના સભ્યો તથા સંસદના સભ્યોની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ટી.કે રંગરાજનના દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પિત કરી.

English summary
Gujarat Chief Minister Narendra Modi Friday condoled the death of Finance Minister P. Chidambaram's mother. "Sad to know about the demise of Shri P. Chidambaram's mother, Smt. Lakshmi Palaniappan. My condolences to the family. May her soul rest in peace," Modi said on microblogging site Twitter Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X