રાહુલ ગાંધીનુ મોદી પર નિશાન, કહ્યુ - સરકારની વેક્સીન રણનીતિ નોટબંધીથી કમ નથી, 3 કારણો છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિ પર નિશાન સાધીને સવાલ ઉઠાવ્યા.
નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિ પર નિશાન સાધીને સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ વેક્સીન રણનીતિની તુલના નોટબંધી સાથે કરી છે. તેમણે કહ્યુ કે, આ સરકારની વેક્સીન રણનીતિ નોટબંધીથી કમ નથી. ટ્વિટ કરીને રાહુલ ગાંધી ત્રણ કારણો ગણાવ્યા. તેમણે કહ્યુ કે, 'આ રીતે વેક્સીનેશનના કારણે સામાન્ય જનતા લાઈનમાં ઉભી રહેશે. બીજુ લોકો ધન, આરોગ્ય અને જીવનુ પણ નુકશાન સહન કરશે.'

વેક્સીન રણનીતિમાં ત્રીજી ખામી ગણાવતા રાહુલ ગાંધીએ લખ્યુ કે, 'કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિથી અંતે માત્ર અમુક ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે.' તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમના માટે હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે ટિપ્પણી પણ કરી છે. વિજનુ કહેવુ છે કે, 'જ્યારે કોરોનાની શરૂઆત થઈ તો રાહુલ ગાંધીએ ઘણા પ્રકારના નિવેદન આપ્યા હતા. પરંતુ હવે તે ખુદ વાયરસથી સંક્રમિત છે. એવામાં જો તેમને દિલ્લીમાં જગ્યા મળવામાં કોઈ મુશ્કેલી પડે તો તે હરિયાણા આવી શકે છે. અમે તેમને વધુ સારો ઈલાજ પૂરો પાડીશુ.'
કેન્દ્રની સરકારની વેક્સીન રણનીતિ આ છે
ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં રણનીતિનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે સરકારી હોસ્પિટલોમાં રસીકરણ મફતમાં જ કરવામાં આવશે જેમ અત્યારે થઈ રહ્યુ છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે 18થી 45 વર્ષની વયના નાગરિકોને પણ સરકારી હોસ્પિટલમાં મફત વેક્સીન આપવામાં આવશે કે નહિ. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મધ્યમ, નાના દુકાનદારો અને વેપારીઓને પડતી મુશ્કેલી પર ધ્યાન આપીને મુખ્યમંત્રીએ કહ્યુ કે લૉકડાઉન અંતિમ ઉપાય છે. રાજ્યો તેના બદલે બીજા ઉપાયો અપનાવે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ?








Click it and Unblock the Notifications
