રાહુલ ગાંધીનુ મોદી પર નિશાન, કહ્યુ - સરકારની વેક્સીન રણનીતિ નોટબંધીથી કમ નથી, 3 કારણો છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિ પર નિશાન સાધીને સવાલ ઉઠાવ્યા.
નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિ પર નિશાન સાધીને સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ વેક્સીન રણનીતિની તુલના નોટબંધી સાથે કરી છે. તેમણે કહ્યુ કે, આ સરકારની વેક્સીન રણનીતિ નોટબંધીથી કમ નથી. ટ્વિટ કરીને રાહુલ ગાંધી ત્રણ કારણો ગણાવ્યા. તેમણે કહ્યુ કે, 'આ રીતે વેક્સીનેશનના કારણે સામાન્ય જનતા લાઈનમાં ઉભી રહેશે. બીજુ લોકો ધન, આરોગ્ય અને જીવનુ પણ નુકશાન સહન કરશે.'

વેક્સીન રણનીતિમાં ત્રીજી ખામી ગણાવતા રાહુલ ગાંધીએ લખ્યુ કે, 'કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિથી અંતે માત્ર અમુક ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે.' તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમના માટે હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે ટિપ્પણી પણ કરી છે. વિજનુ કહેવુ છે કે, 'જ્યારે કોરોનાની શરૂઆત થઈ તો રાહુલ ગાંધીએ ઘણા પ્રકારના નિવેદન આપ્યા હતા. પરંતુ હવે તે ખુદ વાયરસથી સંક્રમિત છે. એવામાં જો તેમને દિલ્લીમાં જગ્યા મળવામાં કોઈ મુશ્કેલી પડે તો તે હરિયાણા આવી શકે છે. અમે તેમને વધુ સારો ઈલાજ પૂરો પાડીશુ.'
કેન્દ્રની સરકારની વેક્સીન રણનીતિ આ છે
ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં રણનીતિનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે સરકારી હોસ્પિટલોમાં રસીકરણ મફતમાં જ કરવામાં આવશે જેમ અત્યારે થઈ રહ્યુ છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે 18થી 45 વર્ષની વયના નાગરિકોને પણ સરકારી હોસ્પિટલમાં મફત વેક્સીન આપવામાં આવશે કે નહિ. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મધ્યમ, નાના દુકાનદારો અને વેપારીઓને પડતી મુશ્કેલી પર ધ્યાન આપીને મુખ્યમંત્રીએ કહ્યુ કે લૉકડાઉન અંતિમ ઉપાય છે. રાજ્યો તેના બદલે બીજા ઉપાયો અપનાવે.












Click it and Unblock the Notifications
