પાક. ફાયરિંગ પર મોદીએ તોડી ચુપ્પી, કહ્યું બધું સારું થઇ જશે
બીજી તરફ ગૃહમંત્રાલયે ભારતીય સરહદ પર પાકિસ્તાન દ્વારા જારી ફાયરિંગથી ઉત્પન્ન હાલતની સતત દેખરેખ રાખી રહ્યું છે જેથી તેની સાથે કડકાઇતી નીપટી શકાય. આધિકારીક સૂત્રો અનુસાર ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રી કિરન રિજિજૂ, ગૃહ સચિવ અનિલ ગોસ્વામી અને સરહદ સુરક્ષા બળના વરિષ્ઠ અધિકારીઓને પળેપળની જાણકારી આપવામાં આવી રહી છે અને તેઓ પોતે પણ તેની જાણકારી લઇ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પાર અને નિયંત્રણ રેખાની પાસે સ્થિતની ઉચ્ચ સ્તરિય સમીક્ષા પણ કરવામાં આવી રહી છે અને તેની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા સલાહકાર અજિત ડાવોલ દરેક કલાકની ત્યાંની જાણકારી મેળવી રહ્યા છે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના આ હુમલાને જોતા તેને કડક ચેતવણી આપી છે અને ભારતીય સેનાએ પણ જવાબી હુમલા કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે પહેલા જણાવ્યું પણ હતું કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો ભારત તેને મોતોડ જવાબ આપશે. પાકિસ્તાન તરફથી વારંવાર કરવામાં આવતી ફાયરિંગના પગલે ભારતે ફ્લેગ મિટિંગ પણ રદ કરી દીધી છે.