નાગરિકતા સંશોધન બિલની આજે રાજ્યસભામા પરીક્ષા, ભાજપે વ્હિપ જાહેર કર્યો
નાગરિકતા સંશોધન બિલની આજે રાજ્યસભામા પરીક્ષા, ભાજપે વ્હિપ જાહેર કર્યો
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં પાસ કરી દેવામાં આ્યું છે. વિપક્ષના ભારે હંગામા વચ્ચે આ બિલ પાસ થઈ ગયું છે. જેની સાથે જ હવે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સોમવારે આ બિલના પક્ષમાં કુલ 311 વોટ પડ્યા. બિલને રાજ્યસભામાં પાસ કરાવવા માટે ભાજપે 10 અને 11 ડિસેમ્બરે પાર્ટીના તમામ સાંસદો માટે વ્હિપ જાહેર કર્યો છે, જેમાં તમામ સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સદનમાં આ બિલ પર વોટિંગ થઈ શકે છે.

આ બિલ પર લોકસભામાં રાત્રે 12 વાગ્યા સુધી દલીલો ચાલી અને અંતમાં આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું. બિલના પક્ષમાં કુલ 311 વોટ પડ્યા જ્યારે વિપક્ષમાં કુલ 80 વોટ પડ્યા. મહત્વની વાત એ છે કે નીતિશ કુમારની જદયૂ અને રામ વિલાસ પાસવાનની પાર્ટીએ પણ આ બિલના સમર્થનમાં વોટિંગ કર્યું. શિવસેના, બીજેડી, વાઈએસઆર કોંગ્રેસ અને બિન ભાજપી દળોએ આ બિલના સમર્થનમાં વોટ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવા માટે 120 સાંસદોના સમર્થનની જરૂરત છે. ભાજપ આ બિલને પાસ કરાવવાને લઈ સંપૂર્ણ રીતે આશ્વસ્ત દેખાઈ રહ્યું છે. જો વાઈએસઆર કોંગ્રેસ, શિવસેના, બીજેડી પોતાનું સમર્થન આપે છે તો આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવામાં આવી શકે છે. આ બિલને પાસ કરાવવા માટે કુલ 239માંથી 120 સાંસદોની જરૂરત છે. બાજપની પાસે સદનમાં 83 સાંસદ છે, જદયૂ પાસે 6, એઆઈડીએમકે પાસે 11, અકાલી દળ પાસે 3 અને 12 નામિત સાંસદો છે જે ભાજપના સમર્થનમાં છે. આ ઉપરાંત બીજેડી અને વાઈએસઆર કોંગ્રેસના સાંસદો પણ આ બિલનું સમર્થન કરી શકે છે, જે હિસાબે રાજ્યસભામાં પણ આ નાગરિકતા સંશોધન બિલ આસાનીથી પાસ થઈ શકે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
