1947 બાદ સૌથી ઓછા જીડીપી ગ્રોથની આશંકા પર બોલ્યા રાહુલ ગાંધી- મોદી હૈ તો મુમકિન હૈ
1947 બાદ સૌથી ઓછા જીડીપી ગ્રોથની આશંકા પર બોલ્યા રાહુલ ગાંધી- મોદી હૈ તો મુમકિન હૈ
નવી દિલ્હીઃ કારોબારી એનઆર નારાયણ મૂર્તિએ ભારતના જીડીપીમાં સૌથી મોટી ગિરાવટ આવવાની આશંકા જતાવ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. નારાયણ મૂર્તિના નિવેદન સાથે જોડાયેલા સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ પર લખ્યું- મોદી હૈ તો મુમકિન હૈ. રાહુલ ગાંધી સતત કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મદી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહ્યા છે.

નારાયણ મૂર્તિએ શું કહ્યું
ઈન્ફોસિસના સંસ્થાપક એનઆરનારાયણ મૂર્તિએ કહ્યું કે દેશનો જીડીપી ગ્રોથ 1947 બાદ સૌથી ખરાબ હાલત પર પહોંચી શકે છે. મૂર્તિએ કહ્યું કે, ભારતના જીડીપીમાં ઓછામા ઓછા 5 ટકા સંકુચનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે આપણે આઝાદી પછીની સૌથી ઓછો જીડીપી ગ્રોથ જોઈ શકીએ છીએ, બહુ જરૂરી છે કે અર્થવ્યવસ્થાને જલદી જ પાટા પર લાવામાં આવે. તેમણે કહ્યું કે દેશભરમાં જે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું તે બાદ સતત તેમનું માનવું રહ્યું કે લોકોએ કોરોના વાયરસ સાથે જીવવા તૈયાર રહેવું પડશે.

કેટલીય એજન્સીએ વ્યથા સંભળાવી ચૂકી
ભારતીય અર્થવ્યવસ્થા ગત ઘણા સમયથી સારી સ્થિતિમાં નથી. કેટલીય એજન્સીઓ પોતાની સ્ટડીમાં એમ કહી ચૂકી છે કે નોટબંધી બાદથી જ ભારતના જીડીપીમાં ગિરાવટ જોવા મળી રહી છે. જ્યારે લૉકડાઉનને પગલે અર્થવ્યવસ્થાને બહુ વધુ ઝાટકો લાગ્યો છે. જે બાદ તો આરબીઆઈ અને કેટલીય બીજી સંસ્થાઓ પણ જીડીપી અને અર્થવ્યવસ્થામાં બહુ સારી સ્થિતિ ના હોવાની વાત કહી ચૂકી છે.

રાહુલનો આરોપ- મોદીની નીતિઓએ આર્થિક હાલાત બગાડી
રાહુલ ગાંધી સતત કોરોના સંકટ, મજૂર અને અર્થવ્યવસ્થાના મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. હાલમાં જ રાહુલ ગાંધીએ આ દરમિયાન કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરવર્ષે બે કરોડ નવી નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ પોતાની ખોટી નીતિઓથી અત્યાર સુધીમાં 14 કરોડ યુવાનો નોકરી ગુમાવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
