For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી કેબિનેટનો થશે વિસ્તાર, 25 મંત્રીઓ લેશે શપથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મેઃ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી લીધો છે. મોદી સાથે 45 મંત્રીઓએ શપથ પણ લઇ લીધી. સૂત્રો અનુસાર એવા સમાચાર છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થવાનો છે. જૂનના અંતમાં અથવા તો જુલાઇને પહેલા અઠવાડિયામાં બજેટ રજૂ થવાની સાથે જ અંદાજે 25 મંત્રીઓ શપથ લઇ શકે છે.

modiswearing
મોદી સરકારની કેબિનેટની બીજી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારમાં સામેલ તમામ કેન્દ્રીય મંત્રીઓને સુશાસન પર ધ્યાન આપવા, તેને લાગુ કરવા અને પહેલા 100 દિવસનો એજેન્ડા લાગુ કરવા કહી દીધું છે. અત્યારસુધીની જાણકારી અનુસાર કેબિનેટ વિસ્તારમાં 25 મંત્રીઓ શપથ લઇ શકે છે, જેમાં ઓછામાં ઓછા 5 કેબિનેટ અને બાકીના રાજ્યમંત્રી બનશે.

તમને જણાવી દઇએ કે 26 મેના રોજ મોદી સાથે 45 મંત્રીઓએ શપથ લીધી હતી. કેબિનેટમાં બીજા વિસ્તારની જરૂરિયાત એટલા માટે પડી રહી છે, કારણ કે અનેક મંત્રીઓ પાસે એક કરતા વધારે વિભાગો છે, તો કેટલાક મોટા મંત્રાલય પાસે રાજ્ય મંત્રી નથી.

English summary
The Prime Minister Narendra Modi is likely to expand his Cabinet after June 15. According to sources, he is likely to take 25 more Ministers; most of them will be Ministers of State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X