For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિત્ર ગોપીનાથ મુંડેના નિધનથી મોદી દુઃખી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂનઃ ભાજપના વરિષ્ઠ નેતા, કેબિનેટ મંત્રી અને મિત્ર સમા સ્વ. ગોપીનાથ મુંડેના નિધનથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શોકગ્રસ્ત છે. મોદીએ ટ્વીટર થકી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ 12.30 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલય ખાતે ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરના દર્શનાર્થે પહોંચશે. ગોપીનાથ મુંડેનું આજે વહેલી સવારે 7.45 વાગ્યે એક કાર અકસ્માતમાં નિધન થયું છે.

narendra-modi
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું છેકે, મારા મિત્ર અને સહયોગી ગોપીનાથ મુંડેજીના નિધનથી મને ઘણું દુઃખ પહોંચ્યું છે અને હું શોકગ્રસ્ત છું. તેમના નિધનથી દેશ અને સરકારને મોટો ઝટકો પહોંચ્યો છે. તેઓ એક સાચા માસ લીડર હતા. તેઓ પછાત જાતીમાંથી આવ્યા હતા, તેમણે લોકસેવામાં એક અગ્રીમ અને ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. હું તેમના પરિવારને સહાનુભૂતિ પાઠવું છું. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવારની પડખે છીએ.

નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની કારનો આજે સવારે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મુંડેને ઇજાઓ થતાં તેમને સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે આઠ વાગ્યે ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભાજપી નેતા અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ ગોપીનાથ મુંડેના નિધનની પૃષ્ટિ કરી છે.

English summary
Extremely saddened & shocked by the demise of my friend & colleague Gopinath Munde ji. His demise is a major loss for the Nation & the Govt, modi tweeted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X