વારાણસી, 10 એપ્રિલ: વારાણસીમાં એક નાનું ગુજરાત પણ વસે છે. અત્રેનું ચૌખંભા વિસ્તાર ગુજરાતીઓથી ભરેલો છે. સ્થાનીય લોકો અનુસાર ચારસો વર્ષ પહેલા ગુજરાતથી રોજગારની તલાશમાં આવેલા લોકો અહીં આવીને વસી ગયા. આ આખો વિસ્તાર મુગલોએ પોતાના સમયમાં શાહી કેનાલ અને ચાર સ્તંભ પર વસાવ્યું હતું.
વારાણસીનું ચૌખંભા વિસ્તાર ગુજરાતીઓની સૌથી ગીચ વસ્તીવાળી ગલીઓનો બનેલો છે અને 50 હજારથી વધારે ગુજરાતીઓ અહી રહે છે. નરેન્દ્ર મોદી દ્વારા વારાણસી બેઠકથી લડવાને લઇને અહીંના ગુજરાતી ખૂબ જ ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે જેમ તેમણે ગુજરાતનો વિકાસ કર્યો છે તેમ જ કાશીનો પણ થાય.
તેમણે જણાવ્યું કે ગુજરાતના લગભગ તમામ જાતિઓના લોકો અહીં રહે છે. તે લોકો મોદીને વિકાસ પુરુષ માને છે. આ કારણે તેનો લાભ સ્થાનીય રીતે મોદીને મળી શકે છે. જોકે મોદીએ ગઇકાલે વડોદરાથી લોકસભા બેઠક માટે પહેલીવાર ઉમેદવારી પત્ર ભર્યું હતું.