નવી દિલ્હી, 1 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહે જણાવ્યું કે વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો નરેન્દ્ર મોદી સાથે કોઇ મુલાકબલો નથી. વારાણસીમાં એકતરફી જ જંગ છે. અત્રે કેજરીવાલનો કોઇ પ્રભાવ નથી. દેશમાં મોદીની લહેર ચાલી રહી છે. આ લહેરમાં કેજરીવાલનો કોઇ પ્રભાવ ચાલશે નહીં.
સમાચાર ચેનલોના સર્વેક્ષણથી ખુશ દેખાતા ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન અને હાલમાં ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહે જણાવ્યું કે ભાજપ આ વખતે આઝાદી બાદ સૌથી વધારે માર્જિનથી જીતનાર પાર્ટી બનશે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં એટલું નિશ્ચિત છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી વધારે બેઠક જીતવા જઇ રહી છે.
યુપીમાં બેઠકો પર થનાર ફેરફાર અંગે પૂછાતા અમિત શાહે જણાવ્યું કે પાર્ટી ફતેહપુર સીકરી બેઠક છોડીને બાકીની કોઇ બેઠક પર ફેરફાર નહીં કરે. જેને જ્યાંથી ટિકિટ મળી છે તે ત્યાંથી જ ચૂંટણી લડશે. મોદીને બે બેઠકો પરથી ચૂંટણી લડવા પર પૂછાયેલા સવાલમાં શાહે જણાવ્યું કે મોદી બંને બેઠકો પર જીત મેળવશે. નેન્સી પોવેલ પર જણાવ્યું કે આ અખબારોના સમાચાર છે તેની પર મારે કઇ નથી કહેવું.
શાહે જણાવ્યું કે મોદી ગુજરાતથી આવી રહ્યા છે, જેવો વિકાસ ત્યા થયો છે તેઓ જ વિકાસ થશે. ઉમા ભારતીના નિવેદન પર શાહે જણાવ્યું કે ઉમા ભારતીનો એવો કોઇ ખોટો ભાવાર્થ ન્હોતો, જેવું મીડિયા દ્વારા કહેવામાં અને બતાવવામાં આવી રહ્યું છે.
અમિત
શાહે
કહેલા
મુખ્ય
મુદ્દા...
અમિત શાહે કહ્યું કે..
અમિત શાહે આજે મોદીની વારાણસી ઓફીસનું ઉદઘાટન કર્યું. જોકે મોદી આ પ્રસંગે હાજર રહ્યો ન્હોતા. મોદી હાલમાં દેશભરમાં રેલી કરવામાં વ્યસ્ત છે.
અમિત શાહે કહ્યું કે..
અમિત શાહે જણાવ્યું કે વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો નરેન્દ્ર મોદી સાથે કોઇ મુલાકબલો નથી. વારાણસીમાં એકતરફી જ જંગ છે. અત્રે કેજરીવાલનો કોઇ પ્રભાવ નથી. દેશમાં મોદીની લહેર ચાલી રહી છે. આ લહેરમાં કેજરીવાલનો કોઇ પ્રભાવ ચાલશે નહીં.
સૌથી વધારે બેઠકો જીતશે..
અમિત શાહે જણાવ્યું કે ભાજપ આ વખતે આઝાદી બાદ સૌથી વધારે માર્જિનથી જીતનાર પાર્ટી બનશે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં એટલું નિશ્ચિત છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી વધારે બેઠક જીતવા જઇ રહી છે.
મોદી બંને બેઠકો પર જીતશે
મોદીને બે બેઠકો પરથી ચૂંટણી લડવા પર પૂછાયેલા સવાલમાં શાહે જણાવ્યું કે મોદી બંને બેઠકો પર જીત મેળવશે.
મોદી ગુજરાત જેવો વિકાસ કરશે
શાહે જણાવ્યું કે મોદી ગુજરાતથી આવી રહ્યા છે, જેવો વિકાસ ત્યા થયો છે તેઓ જ વિકાસ થશે. ઉમા ભારતીના નિવેદન પર શાહે જણાવ્યું કે ઉમા ભારતીનો એવો કોઇ ખોટો ભાવાર્થ ન્હોતો, જેવું મીડિયા દ્વારા કહેવામાં અને બતાવવામાં આવી રહ્યું છે.