આજે મોહન ભાગવત અડવાણીને મળશે

ગોવાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાથી નારાજ લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીના બધા પદો પરથી રાજીનામું આપી દિધું હતું. લાલકૃષ્ણ અડવાણીએ મોહન ભાગવતના આગ્રહ પર પોતાનું રાજીનામું પરત ખેંચવા રાજી થઇ ગયા હતા. ત્યારબાદ મોહન ભાગવતે અડવાણીને મળવાનો નિર્ણય કર્યો હતો.
લાલકૃષ્ણ અડવાણી સાથે મોહન ભાગવતની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જનતા દળ યૂનાઇટેડે નરેન્દ્ર મોદીને કારણ ગણાવતાં ભાજપ સાથે પોતાનો 17 જૂનો સંબંધ તોડી દિધો હતો. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ભાજપના 11 મંત્રીઓને મંત્રીમંડળમાંથી બહાર કરી દિધા છે. નિતિશ કુમારે 19 જૂનના રોજ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરશે.












Click it and Unblock the Notifications
