Monsoon Session 2023: 20 જુલાઇથી શરૂ થશે મોનસૂન સત્ર, 23 દિવસ ચાલશે સંસદ
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે સંસદના ચોમાસુ સત્રની તારીખોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટ કર્યું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ 2023થી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે આગળ લખ્યું કે 23 દિવસ ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને સત્ર દરમિયાન વિધાયક અને સંસદના અન્ય કામકાજમાં રચનાત્મક યોગદાન આપવા અપીલ કરું છું.

માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ચોમાસા સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવી શકે છે. બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરવાની તૈયારી કરી રહી છે. મોનસૂન સત્ર દરમિયાન મોદી સરકાર ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ પર બિલ લાવી શકે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે.
સંસદનું ચોમાસુ સત્ર આ વખતે ખૂબ જ તોફાની રહેવાની શક્યતા છે. મણિપુર હિંસા અંગે પણ ગૃહમાં જોરદાર ચર્ચા જોવા મળી શકે છે. ચોમાસુ સત્રને લઈને આજે સાંજે કોંગ્રેસની બેઠક મળવા જઈ રહી છે. જેમાં UCC અને મણિપુર હિંસા જેવા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે.
સંસદના ચોમાસુ સત્રને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. ચોમાસુ સત્ર એ પ્રથમ સત્ર છે જે નવા બિલ્ડીંગમાં પ્રથમ વખત યોજાવા જઈ રહ્યું છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોડા સરકારનું આ છેલ્લું ચોમાસુ સત્ર હશે.












Click it and Unblock the Notifications
