Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અહીં 100થી પણ વધુ પરીવાર રહેતા હતા, હવે ફક્ત..., ગુરૂગ્રામ હિંસા બાદ લોકોએ સંભળાવી આપવીતી

પહેલા હરિયાણાના નૂહમાં અને પછી બાકીના રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાને કારણે મોટા પ્રમાણમાં જાન-માલના નુકસાનની સાક્ષી વહીવટી આંકડાઓ આપી રહ્યા છે, પરંતુ વચ્ચે કંઈક એવું છે, જે સત્તાવાર કાગળોથી દૂર છે.

આ હિંસામાં કેટલાક લોકો પાસેથી બધું જ છીનવાઈ ગયું છે અને તે આશા પણ ધૂંધળી થઈ ગઈ છે... જેને લઈને તેઓ આજીવિકાની શોધમાં હરિયાણા આવ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાના ગુરુગ્રામની, જ્યાં એક વિસ્તારમાં 100થી વધુ મુસ્લિમ પરિવારો હતા, પરંતુ હિંસા બાદ હવે માત્ર 15 પરિવાર જ બચ્યા છે.

Gurugram

એનડીટીવીના સમાચાર અનુસાર, ગુરુગ્રામના આ વિસ્તારમાં હિંસાના એવા નિશાન છે, જેને ભાગ્યે જ ભૂંસી શકાય છે. 100 પરિવારોમાંથી, 15 પરિવારો કે જેઓ અહીં રહી ગયા છે તેમણે કહ્યું કે તેઓ ખૂબ જ ડરી ગયા છે અને જવા માગે છે, પરંતુ તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ બધું લઈને પોતાના ગામ પાછા જઇ શકે.

આંખોમાં આંસુ અને હાથ જોડીને ઊભા રહેલા 25 વર્ષના શમીમ હુસૈને કહ્યું, 'ગઈ સાંજે કેટલાક લોકો અહીં આવ્યા અને તમામ મુસ્લિમ પરિવારોને આ જગ્યા ખાલી કરવા કહ્યું. કેવી રીતે જવું... પાછા જવા માટે અમારી પાસે ભાડાના પૈસા નથી, પરંતુ અમે સ્થાનિક દુકાનદારોના દેવા હેઠળ છીએ.

મને ડર લાગે છે, મારે એક વર્ષનો દીકરો છે, જો મને કંઈ થશે તો તેનું શું થશે. સરકાર, વહીવટીતંત્ર, આસપાસના લોકોને અમારી એક જ વિનંતી છે કે કૃપા કરીને અમને મદદ કરો, અમને સુરક્ષા આપો.

આ લોકોએ જણાવ્યું કે મંગળવારે સાંજે લગભગ 60 ની સંખ્યામાં કેટલાક લોકો મકાનમાલિક પાસે ગયા અને તેમને બે દિવસમાં તમામ મુસ્લિમ પરિવારોમાંથી રૂમ ખાલી કરવા કહ્યું. આ વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારો જાણે છે કે આ માત્ર ધમકી નથી અને તેઓને ત્યાંથી જવું પડશે, કારણ કે ઘરેલું નોકર તરીકે કામ કરતા વ્યક્તિનું નામ પૂછવા પર મંગળવારે બપોરે ટોળાએ માર માર્યો હતો.

બીજી તરફ શમીમની માતા સફિયાએ જણાવ્યું કે, 'ગઈ સાંજે 50-60 લોકો અહીં આવ્યા હતા, તેઓએ અમને કંઈ કહ્યું ન હતું, પરંતુ મુસ્લિમ પરિવારોને રૂમ ખાલી કરવાનું કહી મકાન માલિક પાસે ગયા હતા. ઘણા લોકો ગયા છે, માત્ર 15-16 પરિવારો બાકી છે. અગાઉ અહીં 100 થી વધુ પરિવારો રહેતા હતા.

અમે જઈ શકતા નથી, અમારી પાસે ન તો ટ્રેનના ભાડાના પૈસા છે, ન રસ્તામાં ખાવાનું. અમે રોજીરોટીની શોધમાં 7 દિવસ પહેલા બંગાળથી અહીં આવ્યા છીએ અને પુત્રને બે દિવસ પહેલા ફૂડ ડિલિવરી એજન્ટની નોકરી મળી હતી, હજુ સુધી તેને કામના પૈસા પણ મળ્યા નથી.

અહીં રહેતા અન્ય એક વ્યક્તિએ કહ્યું, 'હિંદુ હોય કે મુસ્લિમ, જે કોઈ હિંસા ફેલાવી રહ્યુ છે તેને પકડો... તેને સજા કરો. અમારા જેવા ગરીબ લોકોએ તેની કિંમત ચૂકવવી પડે છે. આપણે એવા લોકો છીએ જે રોજ કમાય છે, પણ એટલા ડરી જઈએ છીએ કે તેઓ પોતાના કામ પર પણ જઈ શકતા નથી. જો આમ જ ચાલ્યું તો આપણે ભૂખે મરી જઈશું.'

તમને જણાવી દઈએ કે અગાઉ ગુરુગ્રામના કમિશનરે સ્થળાંતરિત પરિવારોને ખાતરી આપી હતી કે તેમને ડરવાની જરૂર નથી, પોલીસ તેમની સાથે છે. તેમણે કહ્યું કે હાલ સ્થિતિ સામાન્ય છે. કમિશનરે જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં રાતોરાત પોલીસ તૈનાત કરવામાં આવી છે અને તમામ ધાર્મિક સ્થળોની નજીક પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે, પછી તે મસ્જિદ હોય કે મંદિર.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X