For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 18-44 વર્ષની વયના 23 લાખથી વધુ લોકોને રસી અપાઈ- વિજય રૂપાણી

ગુજરાતમાં 18-44 વર્ષની વયના 23 લાખથી વધુ લોકોને રસી અપાઈ- વિજય રૂપાણી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
વિજય રૂપાણી

ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં પણ કોરોના વાઇરસની બીજી લહેર ધીમી પડી છે અને રાજ્ય સરકારે રસીકરણની ઝુંબેશને પણ ગતિ આપવાની દિશામાં કામ શરૂ કર્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં શનિવારે 18-44 આયુવર્ગના 1.98 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.

આ દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે 18-44 વર્ષની વયના 23 લાખથી વધુ લોકોને મફતમાં કોરોનાની રસી અપાઈ છે અને તેના માટે રાજ્ય સરકારે 93.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ગુજરાતમાં શનિવારે પાંચ વાગ્યા સુધીમાં એક દિવસમાં કુલ 2,63,507 વ્યક્તિઓને રસી અપાઈ હતી.

તો શનિવારે રાજ્યમાં કોરોનાના કુલ 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા હતા.


મ્યાનમારમાં સુરક્ષાબળો સાથે ઘર્ષણમાં 20નાં મોતનો દાવો

મ્યાનમારમાં સુરક્ષાબળો અને ગામલોકો વચ્ચે ઘર્ષણમાં 20 લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે

મ્યાનમારમાં સુરક્ષાબળો અને ગામલોકો વચ્ચે ઘર્ષણમાં 20 લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સ્થાનિક મીડિયાના હવાલાથી લખ્યું કે અયેયારવાડી નદી પાસેના વિસ્તારમાં સુરક્ષાબળો હથિયારોની તલાશી લેતા હતા, એ સમયે આ ઘર્ષણ થયું હતું.

ગામલોકો પાસે ગલોલ અને તીર-કામઠાં જેવાં હથિયારો હતાં. મ્યાનમારના સરકારી મીડિયાએ કહ્યું કે રાજદ્રોહના એક આરોપીને પકડવા માટે સુરક્ષાબળો હ્લેસ્વે ગામમાં ગયા હતા.

જ્યાં ઘર્ષણમાં ત્રણ 'આતંકવાદીઓ'નાં મોત થયાં, જ્યારે બે લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

સૈનિક સરકારના પ્રવક્તાએ અયેયારવાડી વિસ્તારમાં થયેલી ઘટના સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા નથી.

સમાચાર એજન્સી રૉયટર્સનું કહેવું છે કે મૃતકોની સંખ્યાની સ્વતંત્ર સૂત્રો પાસેથી પુષ્ટિ કરાઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ ચીને સત્તામાંથી હઠાવ્યાં બાદ મ્યાનમારની સેના દેશ પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે.


કેન્દ્રે કેજરીવાલની યોજના 'ઘર ઘર રાશન' પર રોક લગાવી

એનડીટીવીના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારે દિલ્હીની કેજરીવાલ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના 'ઘર ઘર રાશન' પર રોક લગાવી દીધી છે.

આ યોજના દિલ્હીમાં ઘરેઘરે રાશન પહોંચાડવાની હતી.

દિલ્હીમાં કેજરીવાલ સરકારે 72 લાખ લોકોને તેમને ઘરે જઈને રાશન પહોંચાડવા માટે આ યોજના બનાવી હતી, જે એક અઠવાડિયા બાદ લાગુ થવાની હતી.

દિલ્હી સરકારનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાઈ નથી, માટે તેના પર રોક લગાવી છે.

યોજના પર રોક લગાવવાને લઈને દિલ્હી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પ્રેસ-કૉન્ફરન્સ પણ કરવાના છે.

કેન્દ્ર સરકારે એ વાતે વિરોધ નોંધાવ્યો હતો કે આ યોજના કેન્દ્રની યોજના નેશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ આવે છે, જેમાં કોઈ પણ ફેરફાર માત્ર સંસદ જ કરી શકે, ન કે રાજ્ય. આથી દિલ્હી સરકાર આ યોજનાનું ન તો નામ બદલી શકે અને ન તો તેને કોઈ અન્ય સાથે જોડી શકે છે.


અમદાવાદમાં સોમવારથી AMTS-BRTS શરૂ થશે

https://www.youtube.com/watch?v=I8lHy7rfofo&t=2s

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે અને એ દરમિયાન લાગુ કરાયેલા પ્રતિબંધોમાં પણ છૂટ અપાઈ રહી છે.

સોમવારથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરાશે, જોકે તેના માટે કેટલીક શરતો પણ રખાઈ છે.

ટ્રાન્સપોર્ટ કમિટીના ચૅરમૅન વલ્લભભાઈ પટેલે કહ્યું કે સોમવાર 7 જૂનેથી BRTS અને AMTSની 50 ટકા બસો શરૂ કરવામાં આવશે. બસમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે.

તો બધા જ ટર્મિનસ પર થર્મલ ગનથી ટેમ્પરેચર ચકાસણી કરવામાં આવશે, તેમજ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

બસ સર્વિસ સવારના 6થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=ztEOImDNdts

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
More than 23 lakh people aged 18-44 years were vaccinated in Gujarat - Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X