મણિપુરમાં ઘુસ્યા 700થી વધારે મ્યાનમારના નાગરિકો, સુરક્ષાને લઇ ઉઠ્યા સવાલ
મ્યાનમારમાં સેના અને નાગરિક દળો વચ્ચે ચાલી રહેલી અથડામણ વચ્ચે લગભગ 718 મ્યાનમારના નાગરિકો મણિપુરમાં પ્રવેશ્યા છે. જેમાં 301 બાળકો, 208 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મણિપુરના ચંદેલ જિલ્લામાં પહોંચી ગયા છે.
રાજ્ય સરકારે આસામ રાઈફલ્સને આ લોકોને મ્યાનમાર પરત મોકલવા સૂચના આપી છે. મણિપુરના મુખ્ય સચિવ વિનીત જોશીએ જણાવ્યું હતું કે સરકારે આ અંગે આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.

સરકારે પૂછ્યું છે કે આ લોકોને કેવી રીતે અને શા માટે ભારતીય સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. તેમને ચંદેલ જિલ્લામાં કોઈપણ દસ્તાવેજો વગર પ્રવેશવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? મુખ્ય સચિવે કહ્યું કે રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ લોકોને પાછા મોકલવામાં આવે.
મુખ્ય સચિવે જણાવ્યું કે આ લોકો શનિવાર અને રવિવારે મણિપુર પહોંચ્યા છે, આ લોકો સાત અલગ-અલગ જગ્યાએ રહે છે. આ તમામ લોકો ચંદેલ જિલ્લાના લજાંગ, બોન્સે, ન્યુ સમતાલ, ન્યુ લાજાંગ, યાંગોનફઈ, સો મીલ, આઈવોમજાંગમાં રહે છે.
વિનીત જોશીએ કહ્યું કે સરકારે આસામ રાઈફલ્સને સમજદારીપૂર્વક પગલાં ભરવા અને મ્યાનમારના લોકોને આવવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે. દસ્તાવેજો વિનાના લોકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમે આ મુદ્દે ખૂબ જ ગંભીર છીએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
