કાનપુરમાં મા-દીકરીને જીવતી સળગાવી, આરોપીઓની ધરપકડ બાદ જ થશે અંતિમ સંસ્કાર
કાનપુર દેહાતના મદૌલી ગામમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન માતા-પુત્રીને જીવતી સળગાવી દેવાના મામલામાં ઘટનાના લગભગ 18 કલાક બાદ પણ મૃતદેહ હજૂ સુધી ઉપાડવામાં આવ્યો નથી, પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં અતિક્રમણ હટાવતા સમયે મા-દીકરીનું જીવતા સળગી જવાને કારણે મોત થતું હતું. આ મામલે પોલીસે એફઆઇઆર નોંધી લીધી છે. એફઆઇઆરમાં એસડીએમ, લેખપાલ, સ્ટેશન ઓફિસર, જેસીબીના ડ્રાઇવર સહિત 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ જેવી કલમો લગાવવામાં આવી છે.

આ ઘટના કાનપુર દેહાતનો છે, જ્યાં પ્રશાસન મંદિર તોડવા પહોંચી ગયું હતું. પીડિત પરિવારનો આરોપ છે કે, આ દરમિયાન તેમની ઝૂંપડીમાં આગ લાગી હતી, જેમાં માતા-પુત્રી બળીને ખાખ થઈ ગયા હતા. બંનેને બચાવવાના પ્રયાસમાં પરિવારના સભ્યોને પણ ગંભીર ઈજા થઈ હતી.
પીડિત પરિવારે લેખપાલ અને એસડીએમ પર આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે, કેટલાક અન્ય વહીવટી અધિકારીઓની મિલીભગતથી વિરોધ પ્રદર્શનમાં આગ લગાવીને બે લોકોની હત્યા કરવામાં આવી છે. કાનપુર ઝોનના કમિશનરનું કહેવું છે કે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં. આવા સમયે પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં, થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, તાલુકા પ્રશાસનના લોકો મંદિર તોડવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઝૂંપડાને આગ ચાંપી દીધી હતી. અંદરના કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ માતા-પુત્રી આગની લપેટમાં આવી ગયા અને બંનેના મોત થયા હતા. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં, પીડિત પરિવારનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ ડીએમને મળ્યા હતા અને ન્યાયની વિનંતી કરી હતી.
ડીએમ તરફથી ત્રણ દિવસમાં ન્યાયની ખાતરી પણ મળી હતી, પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ રાહત મળી ન હતી અને હવે આ ઘટના સામે આવી છે. ઘટના બાદ આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. કમિશનરના કહેવા પ્રમાણે, દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
આ ઘટના અંગે કમિશનર રાજશેખર કહે છે કે, અમે તપાસના આદેશ આપ્યા છે. આ એક દુઃખદ ઘટના છે. FIR નોંધવામાં આવી છે. અમે પરિવાર સાથે છીએ. દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
