આશ્ચર્યથી ભરેલો એક પર્વત એટલે માઉન્ટ આબુ
માઉન્ટ આબુ રાજસ્થાનના સિરોહી જિલ્લા સ્થિત આ એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તે પોતાની પ્રાકૃતિ સુંદરતા, આરામદાયક જલવાયુ, હર્યા ભર્યા પહાડો, નિર્મળ ઝીલો, વાસ્તુશિલ્પીય દૃષ્ટિથી સુંદર મંદિર અને અનેક ધાર્મિક સ્થાનો માટે પ્રસિદ્ધ છે. આ સ્થાન જૈનિયોના પ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાનું એક છે. આ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતની સૌથી ઉંચી ચોટી પર 1220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.
માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પર્યટનના આકર્ષણમાં સૌથી મોટું છે. અધિકાંશતઃ ગરમીમાં અને ચોમાસા દરમિયાન અહીં પ્રતિવર્ષ હજારો પર્યટકો અને ભક્તો આવે છે. છેલ્લા દશકાઓમાં આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનીમૂન માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઉભર્યું છે.
પૌરાણિક કથાઓમાં માઉન્ટ આબુ
આ સ્થાનને અર્બુદરાન્ય પણ કહેવામાં આવે છે. જેનું નામ નાગ દેવતા અર્બુદાના નામ પરથી પડ્યું છે. કવિદંતિઓના જણાવ્યા પ્રમાણે ભગવાન શિવના પવિત્ર બૈલ નંદીની રક્ષા કરવા માટે નાગ દેવતા આ પહાડની નીચે આવ્યા હતા. અર્બુદારન્યનું નામ બદલીને અબુ પર્વત કે માઉન્ટ આબુ કરી દેવામા આવ્યું. ઐતિહાસિક રીતે આ સ્થાન ગુર્જરો અથવા ગુજ્જરો દ્વારા વસાવવામાં આવ્યું અને અર્બુદા પર્વતની સાથે તેનું જોડાણ આ ક્ષેત્રમાં મળી આવેલા શાસ્ત્રો અને શિલાલેખોમાં મળે છે.
માઉન્ટ આબુમાં પર્યટન સ્થળોમાં ભ્રમણ
આ સ્થાનના પ્રમુખ પર્યટન સ્થળ નક્કી ઝીલ, સનસેટ પોઇન્ટ. ટોક રોક, અબુ રોડનું શહેર, ગુરુ શિખર ચોટી અને માઉન્ટ આબુ વન્ય જીવન અભ્યારણ્ય છે. માઉન્ટ આબુમાં ધાર્મિક અને ઐતિહાસિક મહત્વના અનેક સ્મારક છે જેમાં મુખ્ય રીતે દિલવારાના જૈન મંદિર, આધાર દેવી મંદિર, દુધ બાવડી, શ્રી રઘુનાથજી મંદિર અને અચલગઢનો કિલ્લો આવે છે.
માઉન્ટ આબુ પહોંચવુ
માઉન્ટ આબુ માર્ગ, રેલ અને વાયુમાર્ગે પંહોચી શકાય છે. વાયુમાર્ગ દ્વારા પહોંચવા માટે પર્યટક ઉદયપુરની ઉડાન ભરી શકે છે. જે ત્યાંથી 185 કિમિ દુર છે. તે વર્ષ દરમિયાન ખુશનુમા રહે છ જો કે આ સ્થાનની સૈર માટે ગરમીની મોસમ બધાથી સારી છે.

નક્કી ઝીલ, માઉન્ટ આબુ
નક્કી ઝીલ માઉન્ટ આબુના એક અન્ય લોકપ્રિય પર્યટન સ્થળ છે, જ્યાં અનેક પર્યટક અને સ્થાનિક લોકો આવે છે. આ 1200 મીટરની ઉંચાઇ સ્થિત છે અને ભારતની એકમાત્ર કૃત્રિમ ઝીલ છે. અહીં એક સુદંર અને શાંત સ્થાન છે, જેની પૃષ્ઠભૂમિમાં સુરમ્ય પહાડીઓ છે. આ ઝીલનું નામ એક કિવદંતીના આધારે પડ્યું જે અનુસાર આ ઝીલનુ ખોદકામ દેવોએ પોતાના નખોથી કર્યું હતું, જેનાથી તે દૃષ્ટ રાક્ષસોથી સ્વરક્ષા કરી શકે. એક અન્ય કિવદંતી અનુસાર આ ઝીલનું ખોદકામ દિલવારા જૈન મંદિરના એક મૂર્તિકાર રસિયા બાલમએ એક રાતમાં કર્યું હતું.
પર્યટક ગાંધી ઘાટનું ભ્રમણ પણ કરી શકે છે, જે મહાત્મા ગાંધીની યાદમાં બનાવવામાં આવ્યું હતું. 12 ફેબ્રુઆરી 1948એ તેમની રાખ આ ઝીલમાં વિસર્જિત કરવામાં આવી હતી. આ ઝીલની પાસે ઘણી ચટ્ટાની પર્વત છે જે પર્યટકો અને સાહસિક કાર્યોમાં પ્રેમીઓને રોક ક્લાઇમ્બિંગની તક પ્રદાન કરે છે. આ ઉપરાંત અહીં બોટિંગ પણ કરી શકાય છે અને આ ઝીલના શાંત અને સ્થિર પાણીનો આનંદ ઉઠાવી શકાય છે.

સનસેટ પોઇન્ટ, માઉન્ટ આબુ
સનસેટ પોઇન્ટ, માઉન્ટ આબુના સાંજના પર્યટનનું પ્રમુખ આકર્ષય છે, જે નક્કી ઝીલના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. આ સ્થાનની પૃષ્ઠભૂમિમાં સુંદર પહાડ છે, જે જોવામાં સુંદર લાગે છે. ખાસ કરીને સૂર્યાસ્ત સમયે.
ગરમીઓમાં મોસમમાં આ સ્થાનનુ પર્યટનમાં એક લોકપ્રિય આકર્ષણ રહે છે, કારણ કે મોટી સંખ્યામાં યાત્રીઓ આ સ્થાનના આરામદાયક ઠંડા પરિવેશનો આનંદ ઉઠાવી શકે છે. શોપિંગમાં રસ ધરાવનારા લોકો નજીકમાં આવેલા હનીમૂન પોઇન્ટ પર આવી શકે છે, જે પોતાની શિલ્પકૃતિઓ અને ખાવાના સ્થાનો માટે પ્રસિદ્ધ છે. આ સ્થાનથી પર્યટક યાદગારી તરીકે નાની લાકડાની મૂર્તિઓ, આભૂષણ અને રમકડા ખરીદી શકે છે.

આબુ રોડ, માઉન્ટ આબુ
આબુ રોડ, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક શહેર છે. આ માઉન્ટ આબુના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પહેલા આ શહેર ખરાડીના નામથી જાણીતું હતું. આબુ રોડ સિરોહી જિલ્લાનું સૌથી મોટું શહેર છે, જે સમુદ્રથી 263 મીટરની ઉંચાઇ પર બનાસ નદીના કિનારે સ્થિત છે. આબુ રોડના કેટલાક મુખ્ય પર્યટન આકર્ષણ ગણેશ મંદિર, બ્રહ્મા કુમારી આશ્રમ, ચન્દ્રાવતી મંદિર અને ભદ્રકાલી મંદિર છે.

અંચલગઢ, માઉન્ટ આબુ
અંચલગઢ રાજમાચીમાં સ્થિત એક નાનું ગામ છે. આ અંચલગઢ કિલ્લા માટે પ્રસિદ્ધ છે જે માઉન્ટ આબુથી 11 કિમી દૂર છે. એ પર્યટક જે આ હિલ સ્ટેશનની સેર કરવા માટે જાય છે તે અંચલગઢ કિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના કારણે અહીં અવશ્ય આવે છે. મૂળ રૂપથી પરમાર વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલા આ કિલ્લાનું પુનનિર્માણ ઇશા પશ્ચાત 1452માં મેવાડના રાજા રાણા કુભા દ્વારા કરવામાં આવ્યા.
અંચલગઢ કિલ્લાના પરિસરમાં અંચલેશ્વર મહાદેવ મંદિર સ્થિત છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવો વિશ્વાસ છે કે આ મંદિરમાં સ્થિત ચટ્ટાન પર ભગવાનના પદચિન્હ છે. આ મંદિરમાં ભગવાન શિવના બૈલ નંદીની પિતળની મોટી મૂર્તિ અને પથ્થરની ભેંસોની ત્રણ મોટી મૂર્તિઓ સ્થિત છે. આ કિલ્લામાં કોઇ જૈન મંદિર પણ છે જે આ સ્થાનના ધાર્મિક મહત્વને વધારે છે.
મંદિરના બે મુખ્ય પ્રવેશ દ્વાર છે, એક હનુમાનપોલ અને બીજો ચંપાપોલ. અંચલગઢ કિલ્લાના નિર્માણ શત્રુઓથી આ વિસ્તારની રક્ષા કરવા માટે બનાવ્યો હતો જેના કારણે નિવાસી સુરક્ષિત રહી શકે.

આધાર દેવી મંદિર, માઉન્ટ આબુ
આધાર દેવી મંદિર માઉન્ટ આબુના અન્ય લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ મંદિર ઉંચી ચોટી પર બનેલું છે અને દેવી દુર્ગાને સમર્પિત છે. આ મંદિર એક ગુભાની અંદર સ્થિત છે. આ મંદિર સુધી પહોંચવા માટે ભક્ત 365 સીડીઓ ચઢીને આવે છે, જેમાં પ્રત્યેક સીડી એક વર્ષના એક દિવસનું પ્રતિક છે. લાંબી યાત્રા ભક્તોને રોકી શકતી નથી, જે મોટી સંખ્યામાં અહીં દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે.

દાતદા સી વર્લ્ડ, માઉન્ટ આબુ
દાતદા સી વર્લ્ડ માઉન્ટ આબુમાં દિલવારા મંદિર તરફ જતા રસ્તા પર સ્થિત છે. તેને ભારતનું સૌથી મોટું એક્વેરિયમ(માછલીઘર) માનવામાં આવે છે. અહીં માછલીઓ અને સમુદ્રી જીવોનું મોટું સંગ્રહ છે. દાતદા સી વલર્ડમાં અન્ય દેશો જેમ કે સિંગાપોર, નેધરલેન્ડ, અમેરિકા, કેન્યામાંથી લાવવામાં આવેલી ઘણી માછલીઓ પણ છે.
આજે આ માઉન્ટ આબુનું લોકપ્રિય પર્યટન સ્થળ છે. દાતદા સી વર્લ્ડના પરિસરમાં એક સંગ્રહાલય પણ છે. આ સંગ્રહાલયમાં 10,000થી પણ વધારે સમુદ્રી જીવો મળી આવે છે, જે વિભિન્ન પ્રકાર, આકારના હોય છે.

બ્રહ્મા કુમારી, માઉન્ટ આબુ
માઉન્ટ આબુમાં સ્થિત બ્રહ્મા કુમારી આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય વિશ્વ પ્રસિદ્ધ સામાજિક-આધ્યાત્મિક શૈક્ષણિક સંસ્થા છે. આ વિશ્વવિદ્યાલય બ્રહ્મ કુમારી વિશ્વ આધ્યાત્મિક સંસ્થાના પ્રશાસનને આધિન છે. તેની સ્થાપના 1936માં વિશ્વ શાંતિ અને ભાઇચારાનો પ્રચાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી. આ વિશ્વવિદ્યાલયમાં ઘણા પાઠ્યક્રમ જેમ કે, ધ્યાન, યોગ, આધ્યાત્મ વગેરે શીખવવામાં આવે છે. બ્રહ્મા કુમારી આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયના 132 દેશોમાં લગભગ 8500 કેન્દ્ર છે. વિશ્વભરમાં તેના 8,00,000 સભ્ય છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
